SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ [ s ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ બેઇન્દ્રિય સંસારસમાપનક જીવ પ્રજ્ઞાપના:८५ से किं तं बेइंदियसंसार-समावण्ण-जीवपण्णवणा? __ बेइंदियसंसारसमावण्णाजीवपण्णवणा अणेगविहा पण्णत्ता, तंजहा- पुलाकिमिया कुच्छिकिमिया गंडूयलगा गोलोमो णेउरा सोमंगलगा वंसीमुहा सूईमुहा गोजलोया जलोया जलोउया संख संखणगा घुल्ला-खुल्ला, गुलया खंधा वराडा सोत्तिया मोत्तिया कलुयावासा एगओवत्ता दुहओवत्ता णंदियावत्ता संवुक्का माईवाहा सिप्पिसंपुडा चंदणा समुद्दलिक्खा, जेयावण्णे तहप्पगारा। सव्वेते सम्मुच्छिमा, णपुंसगा। ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । एएसिणं एवमादियाणं बेइंदियाणं पज्जत्ताअपज्जत्ताणं सत्त जाइकुलकोडिजोणी पमुहसयसहस्सा भवंतीति मक्खायं । से तं बेइंदियसंसारसमावण्ण-जीवपण्णवणा । ભાવાર્થ – પ્રશ્ન-બેઇન્દ્રિય સંસાર સમાપન જીવ પ્રજ્ઞાપનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- બેઇન્દ્રિય સંસારસમાપન જીવ પ્રજ્ઞાપનાના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પુલાકૃમિક, કુક્ષિકૃમિક, ગંડુયલગ, ગોલોમ, નેપૂર, સૌમંગલક, વંશીમુખ, સૂચીમુખ, ગૌલોકા, જલોકા, જલાયુષ્ક, શંખ, શંખનક, ઘુલ્લા, ખુલ્લા, ગુડજા, સ્કન્ધ, વરાટા-કોડી, સૌકિતક, મૌક્તિક, કલુકાવાસા, એકતોવૃત્ત, દ્વિધાવૃત્ત, નદિકાવર્ત, શબ્બકા, માતૃવાહા, શુક્તિસંપુટ(છીપલા), ચંદનક, સમુદ્રલિફા વગેરે તથા આ પ્રકારના અન્ય જીવોને બેઇન્દ્રિય જીવો સમજવા જોઈએ. ઉપર્યુક્ત બેઇન્દ્રિય જીવો સંમૂર્છાિમ અને નપુંસક છે. આ બેઇન્દ્રિય જીવોના સંક્ષેપથી બે પ્રકાર છે. તે આ પ્રમાણે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઇન્દ્રિય જીવોની સાત લાખ જાતિ-કુલકોટિ-યોનિ હોય છે. આ પ્રમાણે ભગવાને કહ્યું છે. આ રીતે બેઈદ્રિય સંસારસમાપન જીવોની પ્રજ્ઞાપના પૂર્ણ થાય છે. વિવેચન - આ સૂત્રમાં બેઇન્દ્રિય જીવોની વિવિધ જાતિઓ, તેના બે પ્રકાર અને તેની જીવયોનિઓની સંખ્યાનું નિરૂપણ છે. | સ્પર્શેન્દ્રિય અને જીહેન્દ્રિય, આ બે ઇન્દ્રિય જે જીવોને હોય છે, તે બેઇદ્રિય જીવ કહેવાય છે. જેમ કે– શંખ, છીપ, કોડી, કરમિયા, પોરા, વાળો, અળસિયા, જળો, લાળીયા, રસજ- રસવંતી વસ્તુઓ બગડી જાય, ત્યારે તેમાં ઉત્પન્ન થતા કીડા, વાંતરી, ઇયળ આદિ. સળે તે સન્છ માં નપુંસા:- કૃમિ, કીડા આદિ ઉપરોક્ત બેઈદ્રિય જીવો માતા-પિતાના સંયોગ વિના, અશચિસ્થાનો જેવા કોઈપણ યોગ્ય સ્થાનોમાં સહજ રીતે ઉત્પન્ન થઈ જાય છે, તેથી તે સંમૂર્છાિમ છે અને તે સર્વે નપુંસક હોય છે. ગાહનોડિ ગોળી :- જાતિ-કુલકોટિ યોનિ- નારિતિ ઝિન તિર્યકતિ તણાઃ સુતાનિ જૂનિટqશ્વરનિ માનિ જાનિ યોનિ પ્રવા િ પ્રસ્તુત પ્રસંગમાં “જાતિ' શબ્દ તિર્યંચગતિનો બોધક છે. તેમાં કૃમિ, કીડા વગેરે કળ છે અને તે જેમાં ઉત્પન્ન થાય તે યોનિ. યોનિ એટલે
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy