SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૪] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર |३८ अभासए णं भंते ! अभासए त्तिकालओ केवचिरंहोइ ? गोयमा !अभासए दुविहेपण्णत्ते-साइए वा अपज्जवसिए,साइए वासपज्जवसिए। तत्थ णंजेसेसाइए सपज्जवसिए सेजहण्णेणं अंतोमुहुत्तंउक्कोसेणं अणंतकालं-अणंता उस्सप्पिणी ओसप्पिणीओ जाववणस्सइकालो। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અભાષક, અભાષક રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! અભાષકના બે પ્રકાર છે– સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ–અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ યાવત વનસ્પતિકાળ સુધી અભાષક રહે છે. | ३९ भासगस्सणंभते !केवइकालं अंतरंहोइ? गोयमा !जहण्णेणंअंतोमुहत्तंउक्कोसेणं अणंतकाल-वणस्सइकालो। ___ अभासगस्स साइयस्स अपज्जवसियस्स णत्थि अंतरं । साइय-सपज्जवसियस्स जहण्णेणंएक्कंसमयंउक्कोसेणं अंतोमुहत्तं । अप्पाबहुयं-सव्वत्थोवा भासगा, अभासगा અતિગુણTI ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ભાષકનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ અર્થાત્ વનસ્પતિકાળનું છે. - સાદિ અપર્યવસિત અભાષકનું અંતર નથી. સાદિ સપર્યવસિત અભાષકનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અલ્પબદુત્વ- સર્વથી થોડા ભાષક છે, તેનાથી અભાષક અનંતગુણા છે. |४० अहवा दुविहा सव्वजीवा-ससरीरीय असरीरी य । असरीरीजहा सिद्धा। ससरीरी जहा असिद्धा । सव्व थोवा असरीरी,ससरीरी अणतगुणा । ભાવાર્થ- સર્વ જીવોના બે પ્રકાર છે– સશરીરી અને અશરીરી. તેનું સંપૂર્ણ કથન ક્રમશઃ અસિદ્ધ અને સિદ્ધની જેમ જાણવું યાવતુ સર્વથી થોડા અશરીરી છે અને તેનાથી શરીરી અનંતગુણા છે. વિવેચન :ભાષકની કાયસ્થિતિ - કોઈ જીવ વચનયોગનો પ્રયોગ કરીને એક જ સમયમાં અટકી જાય અથવા મૃત્યુ પામે તો ભાષકની સ્થિતિ જઘન્ય એક સમયની થાય છે અને નિરંતર અંતર્મુહૂર્ત સુધી ભાષાનો પ્રયોગ કરે, તો ત્યાર પછી અવશ્ય અંતર પડે છે, તેથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વચનયોગની જેમ અંતર્મુહૂર્તની છે. અભાષકની કાયસ્થિતિ :- અભાષક જીવોના બે પ્રકાર છે– સિદ્ધ અને સંસારી. (૧) સિદ્ધ અભાષકની સ્થિતિનો પ્રારંભ થાય છે પરંતુ તેનો અંત થતો નથી, તેથી તેની સ્થિતિ સાદિ અનંતકાલની છે. (૨) સંસારી અભાષકની સ્થિતિ- સંસારીજીવો ત્રસથી સ્થાવરમાં અને સ્થાવરથી ત્રસમાં જન્મ મરણ કરતા જ રહે છે. તેથી સંસારી અભાષકમાં સાદિ સાંતનો જ ભંગ થાય છે અને તેની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. કોઈ બેઇન્દ્રિયાદિ જીવ એકેન્દ્રિયમાં જન્મ ધારણ કરે, ત્યાં અભાષકપણે અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ બેઇન્દ્રિયાદિમાં જન્મ ધારણ કરીને ભાષક બને, તો અભાષકની જઘન્ય અંતર્મુહૂર્તની
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy