SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧ ૭૦૭ ] અંતર – અનાદિ અનંત અને અનાદિ સાંત સવેદી જીવોનું અંતર નથી. સાદિ સાંત સવેદી જીવોનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત છે. યથા– સવેદક જીવ ઉપશમશ્રેણીમાં એક સમય રહે, ત્યાં તેનું મૃત્યુ થાય તો એક સમયમાં જ તે પુનઃ સવેદીપણાને પામે છે, તેથી જઘન્ય એક સમયનું અંતર થાય અને તે જીવ અંતર્મુહુર્ત પર્યત ઉપશમશ્રેણીમાં રહીને ત્યાર પછી તે શ્રેણીથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે તે અવશ્ય સંવેદી થાય તેથી વચ્ચેનો અવેદીપણાનો અંતમુહૂર્ત પ્રમાણકાલ તે સર્વદીપણાનું અંતર થાય છે. અવેદક જીવોમાં જે જીવ વેદનો ક્ષય કરી સાદિ અનંત સિદ્ધ અવસ્થાને પામે છે તેનું અંતર નથી. પરંતુ જેણે ઉપશમ શ્રેણીમાં વેદનો ઉપશમ કર્યો છે તેવા સાદિ સાંત જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. ઉપશમશ્રેણીથી પડિવાઈથયેલો જીવ સવેદી અવસ્થાને પ્રાપ્ત કરી પુનઃ અંતર્મુહૂર્તમાં જ ઉપશમ શ્રેણી કરી શકે છે, તે અપેક્ષાએ અવેદકપણાનું જઘન્ય અંતર ઘટિત થાય છે. ' ઉપશમ શ્રેણીથી નિવૃત્ત થયેલો જીવ જો અનંતસંસાર પરિભ્રમણ કર્યા પછી નવમા ગુણસ્થાને અવેદીપણાને પ્રાપ્ત કરે તે અપેક્ષાએ અવેદીનું અંતર અનંતકાલનું થાય છે, તે અનંતકાલ દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તન પ્રમાણ છે. અલ્પબહત્વઃ- સર્વથી થોડા અવેદક જીવો, તેનાથી સવેદક જીવો નિગોદની અપેક્ષાએ અનંતગુણા છે. સકષાયી-અકષાયી – જે જીવો ક્રોધાદિ કષાયયુક્ત હોય તે સકષાયી અને કષાય રહિત હોય તે અકષાયી છે. સકષાયી જીવોમાં એકથી દશ ગુણસ્થાન અને અકષાયી જીવોમાં ૧૧થી ૧૪ ગુણસ્થાનવર્તી જીવોનો તેમજ સિદ્ધોનો સમાવેશ થાય છે. તેનું કથન સવેદક-અવેદક જીવોની જેમ જાણવું. સર્વ જીવોના બે પ્રકારઃ સજ્ઞાની અને અજ્ઞાની આદિ| १८ अहवा दुविहा सव्वजीवा पण्णत्ता- णाणी चेव अण्णाणी चेव। ભાવાર્થ - સર્વજીવોના બે પ્રકાર છે– જ્ઞાની અને અજ્ઞાની. | १९ णाणी णं भंते !णाणी त्तिकालओ केवचिरंहोइ ? गोयमा !णाणी दुविहे पण्णत्तेसाईए वा अपज्जवसिए, साईए वा सपज्जवसिए । तत्थ णंजेसेसाईए सपज्जवसिए से जहण्णेणं अतोमुहत्तं, उक्कोसेणंछावट्ठिसागरोवमाइंसाइरेगाई। अण्णाणीजहा सवेदया। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!જ્ઞાની, જ્ઞાની રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર-હે ગૌતમ! જ્ઞાનીના બે પ્રકાર છે– સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ સુધી રહી શકે છે. અજ્ઞાનીનું કથન સદકની સમાન જાણવું. २० णाणिस्स अंतरंजहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणतंकालं-अवडंपोग्गलपरियट्ट देसूणं । अण्णाणिस्सदोण्हवि आइल्लाणंणत्थि अंतर,साइयस्ससपज्जवसियस्सजहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठिसागरोवमाइं साइरेगाई। अप्पाबहुयं-सव्वत्थोवा णाणी, अण्णाणी अणंतगुणा। ભાવાર્થ-જ્ઞાનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ છે, તે દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. પ્રારંભના બે ભંગવાળા અજ્ઞાની જીવો ક્રમશઃ અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy