SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૫ સમુચ્ચય બાદર પર્યાપ્તાની કાયસ્થિતિ સાધિક અનેક સો સાગરોપમની છે. સમુચ્ચય બાદર જીવોની કાયસ્થિતિ અસંખ્યાત કાલની હોવા છતાં ખાદર જીવોમાં પર્યાપ્તપણું અનેક સો સાગરોપમ પર્યંત જ રહે છે ત્યાર પછી બાદરપણું રહેવા છતાં પર્યાપ્તપણું રહેતું નથી. તે જ રીતે બાદર પર્યાપ્તા પૃથ્વીકાય, અપ્કાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાયની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની છે, કારણ કે કોઈ પણ જીવને પર્યાપ્તપણાનું સાતત્ય સંખ્યાતા ભવ સુધી રહે છે અને તે જીવોની ભવસ્થિતિ હજારો વર્ષ પ્રમાણ છે, તેથી તેની કાયસ્થિતિ સંખ્યાતા હજારો વર્ષની થાય છે. બાદર તેઉકાયની ભવસ્થિતિ ત્રણ અહોરાત્રિની છે તેથી તેઉકાયના પર્યાપ્તાની કાયસ્થિતિ સંખ્યાતા અહોરાત્રની છે. નિગોદ અને બાદર નિગોદ પર્યાપ્તાની કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. નિગોદ અવસ્થામાં પર્યાપ્તપણું અંતર્મુહૂર્ત પર્યંત રહે છે ત્યાર પછી તે જીવ અપર્યાપ્તાવસ્થાને પામે છે આ રીતે પર્યાપ્ત-અપર્યાપ્તાવસ્થામાં કે સૂક્ષ્મ-બાદરપણે ગમનાગમન કરતા તે જીવો અનંતકાલ પસાર કરે છે. બાદર ત્રસકાયના પર્યાપ્તાની કાયસ્થિતિ અનેક સો સાગરોપમની છે. આ કથન નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવભવમાં ગમનાગમનની અપેક્ષાએ છે. બાદર જીવોની કાસ્થિતિ ઃ જીવ પ્રકાર સમુચ્ચય બાદર બાદર પૃથ્વી, અપ, Aૐ વાયુ સમુચ્ચય બાદર વનસ્પતિ | બાદર ત્રસકાય આ ૧૦ બોલ થયા જયન્ય અંતર્મુહર્ત અસંખ્યાતકાળ બાદર કાગ) ક્ષેત્રપીઅંગુળના અસંખ્યાતમાં ભાગના આકાશપ્રદેશ પ્રમાણ અંતર્મુહૂર્ત ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ જીવ તેટલો જ કાલ રહે છે. અંતર્મુહૂર્ત અસંખ્યાતકાલ(બાદરકાલ) Alp પ્રત્યેક શરીરી બાદર અંતર્મુહૂર્ત ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ વનસ્પતિ | સમુચ્ચય નિોદ બાર નિગોદ અંતર્મુહૂર્ત | સમુચ્ચયબાદર વગેરે | અંતર્મુહૂર્ત ૧૦ ના અપર્યાપ્તા ૧ અંતર્મુહૂર્ત | અનંતકાલ–અઢી પુદ્ગલ પરાવર્તન અંતર્મુહૂત ૭૦ કોડાકોડી સાગરોપમ સંખ્યાત વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ અંતર્મુહૂર્ત કારણ બાદરપણે નિરંતર અસંખ્યાત ભવ થાય છે. બાદર વનસ્પતિકાયની મુખ્યતાએ અસંખ્યાતકાળ (બાદરકાલ) પ્રમાણ કાયસ્થિતિ છે. વનસ્પતિ સિવાયના ચારે ય બાદરાધમાં નિરંતર પ્રત્યેક અને સાધારણ બંને પ્રકારની વનસ્પતિમાં થતાં જન્મ-મરણના કાલની ગણના છે. ફક્ત પ્રત્યેક વનસ્પતિની કાયસ્થિતિ ચાર સ્થાવર પ્રમાણે જ થાય છે. સૂક્ષ્મ-બદર નિગોદ, બંને પ્રકારના નિચંદ મળીને અનંતકાલ થાય છે. ફક્ત બાદર નિગોદપણે રહેવાની કાલમર્યાદા તેટલી જ છે. એકેન્દ્રિય સિવાયના સર્વ સ્થાનમાં ભવભ્રમણ કરતાં તેટલો કાલ થાય છે. અપર્યાપ્તાવસ્થાનું સાતત્ય તેટલું જ હોય છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy