SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નૈરયિકોની ઉર્તના ઃ ४७ | इमीसे णं भंते ! रयणप्पभाए णेरइया अणंतरं उव्वट्टिय कहिं गच्छति ? कहिं उववज्जंति ? किं णेरइएसु उववज्जति, किं तिरिक्खजोणिएसु उववज्जति पुच्छा ? गोयमा ! उव्वट्टणा भाणियव्वा जहा वक्कंतीए तहा इह वि जाव अहेसत्तमाए । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ ત્યાંથી નીકળીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નારકીમાં ઉત્પન્ન થાય છે ? તિર્યંચ યોનિઓમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિપદમાં કહ્યું છે તે પ્રમાણે ઉદ્ધર્તના કહેવી જોઈએ યાવત્ અધઃસપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં નારકીઓની ઉદ્દવર્તનાનું કથન પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે. સ્વભાવથી જ નારકીઓ મરીને નરકગતિ કે દેવગતિમાં જતા નથી. તે ઉપરાંત એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંશી તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્ચ્છિમ મનુષ્ય અને યુગલિક મનુષ્યોમાં પણ ઉત્પન્ન થતાં નથી, તેથી છ નરકના નારકીઓ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોમાં અને સાતમી નરક પૃથ્વીના નારકીઓ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય છે. નારકીઓને સ્થાવર જીવોના સ્પર્શ આદિ : ४८ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया केरिसयं पुढविकास पच्चणुब्भवमाणा વિહત ? પોયમા ! ખિદું નાવઞમગામ Ë ખાવ અહેસત્તમાર્। ભાવાર્થ: - પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો કેવા પ્રકારના ભૂમિસ્પર્શનો અનુભવ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે અનિષ્ટ યાવત્ અમનોહર ભૂમિસ્પર્શનો અનુભવ કરે છે. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. ४९ इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए णेरइया केरिसयं आउफासं पच्चणुब्भवमाणा विहरति ? गोयमा ! अणिट्टं जाव अमणामं । एवं जाव अहेसत्तमाए। एवं जाव वणप्फइफासं अहेसत्तमाए पुढवीए । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ કેવા પ્રકારના જલ સ્પર્શનો અનુભવ કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! અનિષ્ટ યાવત્ અમનોહર જલ સ્પર્શનો અનુભવ કરે છે. આ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી કહેવું જોઈએ. આ પ્રમાણે અગ્નિ, વાયુ અને વનસ્પતિના સ્પર્શના વિષયમાં રત્નપ્રભાથી સપ્તમ પૃથ્વી સુધીના નૈરયિકોના વિષયમાં જાણવું જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં નૈરયિકોને થતાં સ્થાવર જીવોના સ્પર્શનું નિરૂપણ છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy