SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ [ ૧૦૧ ] શ્રાવકના શિષ્ટાચાર)પૂર્વક ગયા (૧) સચેત પદાર્થોનો ત્યાગ કરવો (૨) શસ્ત્રાદિ અચેત પદાર્થોનો ત્યાગ કરવો (૩) ખભા ઉપર રહેલ એકશાટિક– અખંડ ઉત્તરીય વસ્ત્રને મુખ ઉપર ધારણ કરવું, (૪) ધર્મનાયક પર દષ્ટિ પડતાં જ હાથ જોડવા (૫) મનને એકાગ્ર કરવું. આ રીતે પાંચ પ્રકારના નિયમોનું અનુપાલન કરીને કોણિકરાજા ભગવાનની સન્મુખ ગયા. ભગવાન મહાવીર સ્વામીને જમણી બાજુથી પ્રારંભ કરીને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને; કાયિક, વાચિક અને માનસિક, તે ત્રણ પ્રકારે પપાસના કરી. કાયિક પર્સપાસના રૂપે હાથ-પગને સંકુચિત કરીને, સાંભળવાની ઇચ્છાથી વારંવાર નમસ્કાર કરતાં, વિનયપૂર્વક બંને હાથ જોડીને પ્રભુની સન્મુખ સ્થિત થયા. વાચિક પર્યાપાસના રૂપે ભગવાન જે જે કહેતા હતા, તેના માટે હે ભગવન્! આપ જેમ કહો છો તેમ જ છે, હે ભગવન્! તેમ જ છે, હે ભગવન! આપે કહ્યું, તે સત્ય છે. હે ભગવન્! આપનું વચન અસંદિગ્ધ છે. હે ભગવન્! આપના વચનો મારા માટે ઇચ્છનીય છે, વારંવાર ઇચ્છનીય છે, ઇચ્છનીયપ્રતીતિચ્છનીય છે. આ રીતે અનુકૂળ વચનો બોલીને ઉપાસના કરવા લાગ્યા. માનસિક પર્કપાસના રૂપે તીવ્ર સંવેગભાવ-મુમુક્ષભાવ સાથે તીવ્ર ધર્માનુરાગથી અનુરક્ત બન્યા. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં કોણિકરાજા દ્વારા થયેલી દર્શનવિધિનું નિરૂપણ છે. રાજાઓ હંમેશાં પાંચ પ્રકારના રાજચિહ્નો સહિત જ સર્વત્ર ગમન કરે છે પરંતુ તીર્થકરો કે સાધુ મહાત્માના દર્શન માટે જાય, ત્યારે તલવાર, છત્ર, મુગટ, પગરખાં અને ચામર, તે પાંચ રાજચિહ્નોનો ત્યાગ કરીને જાય છે. મહાન પુરુષો સમક્ષ પોતાના પદ-પ્રતિષ્ઠાજન્ય અભિમાનનો ત્યાગ કરી નમ્રતાપૂર્વક કંઈક પ્રાપ્ત કરવાની તમન્નાથી રાજચિહ્નોનો ત્યાગ કરવાનો રાજાઓનો વ્યવહાર હોય છે. પાંચ અભિગમ:- દર્શન માટે જતાં શ્રાવકોની આવશ્યક વિધિ અથવા શિષ્ટાચારને અભિગમ કહે છે. વ્યક્તિ જે સ્થાનમાં જાય છે, તે સ્થાનને યોગ્ય વેશ પરિધાન, ભાવશુદ્ધિ, ચિત્તની એકાગ્રતા વગેરે વ્યવહારનું પાલન કરવું, તે તેના માટે અનિવાર્ય છે. તે ભાવો જળવાય તે માટે શાસ્ત્રમાં પાંચ પ્રકારના અભિગમનું વિધાન છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. રિવાજ તબ્બા વિડસરળ બીજા અભિગમના પાઠમાં વિકલ્લાક્ની જગ્યાએ કોઈક સ્થાને વિકસરખા પાઠ જોવા મળે છે. ભગવતી વૃત્તિમાં તેનો ‘વસ્ત્ર, અંગૂઠી વગેરેનો ત્યાગ ન કરવો’ તેવો અર્થ જોવા મળે છે. અન્ય સૂત્રોમાં વિસ્તરણા શબ્દ દ્વારા છત્ર, ચામર, પગરખા, શસ્ત્ર વગેરે અચેત પદાર્થોનો ત્યાગ કરવો તે શ્રાવકનો બીજો અભિગમ કહ્યો છે. પાંચે અભિગમમાં શ્રાવકે કંઈક ક્રિયા કરવાની હોય છે, તેથી અચેત પદાર્થનો ત્યાગ ન કરવો તે અર્થ યથોચિત જણાતો નથી. પરંતુ વિતા રબા વિડસરળ- શસ્ત્ર આદિ અચેત પદાર્થોનો ત્યાગ કરવો. તે પાઠ અને અર્થ યથોચિત જણાય છે. તેથી તે પાઠને જ મૂળપાઠમાં સ્વીકાર કર્યો છે. રાણીઓ દ્વારા પ્રભુની પથુપાસના - १०९ तए णं ताओ सुभद्दप्पमुहाओ देवीओ अंतोअंतेउरंसि पहायाओ जाव सव्वालंकारविभूसियाओ बहूहिं खुज्जाहिं चिलाईहिं वामणीहिं वडभीहि, बब्बरीहिं बउसियाहिं
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy