SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ભાવાર્થ :- પ્રશ્ન- કર્મ વ્યુત્સર્ગનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- કર્મ વ્યુત્સર્ગના આઠ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનાવરણીય કર્મ વ્યુત્સર્ગઆત્માના જ્ઞાન ગુણને આવરણ કરનારા કર્મબંધના કારણોનો ત્યાગ. (૨) દર્શનાવરણીય કર્મ વ્યુત્સર્ગ– આત્માના દર્શન ગુણને આવરણ કરનારા કર્મબંધના કારણોનો ત્યાગ. (૩) વેદનીય કર્મ વ્યુત્સર્ગ–શાતા, અશાતા, સુખ-દુખરૂપ વેદનાના હેતુભૂત કર્મબંધના કારણોનો ત્યાગ. (૪) મોહનીય કર્મ વ્યુત્સર્ગ–આત્માની અનુભૂતિ સ્વભાવરમરૂપ ગુણને આવરણ કરનારા કર્મ બંધના કારણોનો ત્યાગ. (૫) આયુષ્ય કર્મ વ્યુત્સર્ગ– આત્માને ચાર ગતિમાંથી કોઈ પણ ભવમાં રોકી રાખનારા આયુષ્ય કર્મના કારણોનો ત્યાગ. (૬) નામ કર્મ વ્યુત્સર્ગ-આત્માના અમૂર્તત્વ ગુણાના આવરણરૂપ કર્મ બંધના કારણોનો ત્યાગ. (૭) ગોત્ર કર્મ વ્યુત્સર્ગ–આત્માના અગુરુલઘુત્વ(ભારે નહીં હલકો નહીં) રૂપ ગુણના આવરણ રૂપ કર્મબંધના કારણોનો ત્યાગ. (૮) અંતરાય કર્મ વ્યુત્સર્ગ-આત્માની અનંત શક્તિના આવરણભૂત કર્મબંધના કારણોનો ત્યાગ. આ કર્મ વ્યુત્સર્ગ છે. આ ભાવ વ્યુત્સર્ગ તપનું સ્વરૂપ છે. વિવેચન : ક્ષેત્ર, વસ્તુ, શરીર, ઉપધિ, ગણ, ભક્તપાન વગેરે બાહ્ય પદાર્થો તથા કષાય આદિ અંતરંગ વૈભાવિક પરિણામોનો ત્યાગ કરી આત્મસ્વરૂપમાં લીન થવું તે વ્યુત્સર્ગ તપ છે. સમસ્ત કર્મ અને કર્મજન્ય ભાવોનો સંપૂર્ણ ત્યાગ કરી શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે જ સર્વ સાધકોનું એકમાત્ર લક્ષ્ય હોય છે. આ લક્ષ્યની સિદ્ધિ માટે સાધક વિવિધ પ્રકારે ત્યાગવૃત્તિને દઢતમ બનાવે છે. પહેલાં બાહ્ય પદાર્થોનો અને સ્થૂલ રાગદ્વેષાદિ ભાવોનો ત્યાગ કરે, ત્યાર પછી ક્રમશઃ રાગ-દ્વેષાદિ આંતરિક સૂક્ષ્મ, સૂક્ષ્મતમ ભાવોનો ત્યાગ કરે છે. વ્યુત્સર્ગના દ્રવ્ય અને ભાવરૂપ બે ભેદ અને તેના પ્રભેદો ભાવાર્થથી સ્પષ્ટ છે. આત્યંતર તપના ભેદ-પ્રભેદ : પ્રાયશ્ચિત્ત ૧ આલોચનાર્હ ૨ પ્રતિક્રમણાર્હ ૐ તપાસે. ૪ વિવેકાર્ડ ૫ વ્યુત્સર્ગાહ 5 તપાઈ ૭ છેદાહ ૮ મુલા ૯ અનવસ્થાપ્યાર્હ ૧૦ પારચિતાર્હ પ્રાયશ્ચિત્ત દેનારના વિનય ૧ શાન વિન[૫] ૨ દર્શન વિનાય [૨] | રાધા વિનય (૧૦) વૈયાવૃત્ય | સ્વાધ્યાય ૧ આચાર્ય ૨ ઉપાધ્યાય ૩ સ્થવિર ૪ તપસ્વી અનાશાતના વિનય–૪૫ ૐ ચારિત્ર વિનય [૫] ૪, મન વિનય [૨] પ્રશસ્ત મન વિનય(૧૦) અપ્રશસ્ત મન વિનય(૧૦) ૫ વચન વિનય [૨] પ્રશસ્ત વચનવિનય(૧૦) ૧૦સાધર્મિક અપ્રશસ્ત વચન વિનય(૧૦) ની વૈયાવૃત્ય ૫ ગ્લાન શૈક્ષ ૭ કુલ | ૮ ગણ ૯ સંઘ શ્રી ઉવવાઈ સૂત્ર ધ્યાન આર્તધ્યાન-ટ મા. ૧ વાચના ૧ પૃચ્છના ૩ પરિવર્તના | ૪ લક્ષણ ૪ અનુપૈયા | રૌદ્રધ્યાન-ટ ૫ ધર્મકથા મો. ૪ લક્ષણ ધર્મધ્યાન=૧૪ ૪ ભેદ ૪ લક્ષણ ૪ આલંબન ૪ અનુપ્રેક્ષા વ્યુત્સર્ગ ૧ વ્યવ્યુાર્ગ(૪) ગણવ્યુત્સર્ગ શરીર ટ્યુન્સર્ગ વિ ાન્તર્ગ ભક્તપાનવ્યુત્સર્ગ ભાવ વ્યુત્સર્ગ(૩) કપાય ગુગ(૪) સંસાર હ્યુગ(૪) કર્મ વ્યુત્સર્ગ (૮)
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy