SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર જીવનનિર્વાહ કરે છે, પરંતુ અંતર એ છે કે સાધુ દરેકના ઘરે ભિક્ષા માટે જાય છે અને તે ઉપાસક પોતાના સ્વજનો– જ્ઞાતિજનોના ઘેર જાય છે, કારણ કે કુટુંબીજનો સાથે તેનો રાગાત્મક સંબંધનો સંપૂર્ણ વિચ્છેદ થયો હોતો નથી. ૫૮ તેની આરાધનાનો કાળ(સમય) જઘન્ય એક, બે, ત્રણ દિવસ યાવત્ ઉત્કૃષ્ટ અગિયાર મહિનાનો છે. આ પ્રતિમાના આરાધક, શ્રમણની ભૂમિકામાં તો નથી પરંતુ પ્રાયઃ શ્રમણ જેવા હોય છે. તેથી તેને શ્રમણભૂત પ્રતિમા કહે છે. ७८ तए से आणंदे समणोवासए इमेणं एयारूवेणं उरालेणं, विउलेणं पयत्तेणं, पग्गहिएणं तवोकम्मेणं सुक्के लुक्खे, णिम्मंसे, अट्ठिचम्मावणद्धे, किडिकिडियाभूए, किसे धमणिसंतए जाए । શબ્દાર્થ:- રાભેળ = ઉત્કૃષ્ટ, વિકટ પયત્તેણં = પ્રયત્નથી સુજે = સૂકાઈ ગયું જુવ` = રૂક્ષ થઈ ગયું જિમ્મેસે = માંસ રહિત થઈ ગયું વિસે = કૃશ, પાતળું, દુર્બળ અદ્િ= હાડકાં ધમ્મ = ચામડું. ભાવાર્થ :- આ રીતે સ્વીકારેલ શ્રાવક પ્રતિમાની ઉત્કૃષ્ટ, વિપુલ, પ્રયત્ન સાધ્ય તપશ્ચર્યાથી આનંદ શ્રાવકનું શરીર સુકાઈ ગયું, રૂક્ષ થઈ ગયું, તેમાં માંસ રહ્યું નહીં, હાડકાં અને ચામડી માત્ર શેષ રહ્યાં, હાડકાં ઘસાવાથી અવાજ આવવા લાગ્યો, શરીર કૃશ અને ક્ષીણ થઈ ગયું, તેની બધી નસો દેખાવા લાગી. આનંદ શ્રાવકની બાહ્વાન્યંતર તપસાધના : ७९ तए णं तस्स आणंदस्स समणोवासगस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि धम्मजागरियं जागरमाणस्स अयं अज्झत्थिए- एवं खलु अहं इमेणं પ્યારૂવેળ, રાલેખ, વિભેળ, પયત્તળ, પરિણ્ તવોજમેળ સુ, તુવન્તે, णिम्मंसे, अट्ठिचम्मावणद्धे किडिकिडियाभूए, किसे, धमणिसंतए जाए । તેં અસ્થિ તા મે ઠ્ઠાળે, જમ્મુ, વર્તે, વીર, પુસાર પરમે, સદ્ધા, ધિર્ર, संवेगे । तं जाव ता मे अत्थि उट्ठाणे सद्धा धिई संवेगे, जाव य मे धम्मायरिए, धम्मोवए सए, समणे भगवं महावीरे जिणे सुहत्थी विहरइ, ताव ता मे सेयं कल्लं जाव जलते अपच्छिम-मारणंतिय-संलेहणा - झूसणा-झूसियस्स, भत्त-पाण -पडियाइक्खियस्स कालं अणवकंखमाणस्स विहरित्तए । एवं संपेहेइ, संपेहेत्ता कल्लं जाव अपच्छिम- मारणंतिय संलेहणा-झूसणा-झूसिए, भत्त-पाण -पडियाइक्खिए, कालं अणवकंखमाणे विहरs | શબ્દાર્થ::- અળયા યાક્= એક દિવસ, કોઈ સમયે અસ્થિર્ = અધ્યવસાય, વિચાર ખાંતે = સૂર્યોદય, ચમકતા સૂર્યનો ઉદય વાત = મૃત્યુની અનવલમાને = ઇચ્છા નહીં કરતો. ભાવાર્થ :- એક દિવસ પૂર્વ રાત્રિના ઉત્તરાર્ધમાં ધર્મ જાગરણ કરતાં આનંદ શ્રાવકના મનમાં આ વિચાર અથવા સંકલ્પ ઉત્પન્ન થયો. આ રીતે શ્રાવક પ્રતિમા વગેરેના રૂપમાં સ્વીકૃત, ઉત્કૃષ્ટ, વિપુલ, સાધના યોગ્ય પ્રયત્ન તથા તપશ્ચર્યાથી મારું શરીર સૂકાઈ ગયું છે, રૂક્ષ થઈ ગયું છે, તેમાં માંસ રહ્યું નથી, હાડકાં અને ચામડી માત્ર શેષ રહ્યાં છે, હાડકાં ખખડે છે તેનો અવાજ આવે છે, શરીરમાં એટલી બધી કૃશતા આવી ગઈ છે કે જેના કારણે નસેનસ દેખાય છે.
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy