SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ | પ૩૮ | શ્રી ભગવતી સૂત્ર-૫ બાદર જીવ – બાદર નામ કર્મના ઉદયે જે જીવોનું શરીર કંઈક ધૂલ હોય; જે જીવો, અગ્નિ, પાણી આદિ શસ્ત્રો દ્વારા નાશ પામતા હોય; તે બાદર કહેવાય છે. તે જીવોના શરીરને ચક્ષુ દ્વારા જોઈ શકાય અથવા ન જોઈ શકાય છે. તેની સ્થિતિ ભિન્ન-ભિન્ન હોય છે, તે લોકના દેશ વિભાગમાં જ હોય છે. પર્યાપ્તા:- ઉત્પત્તિસ્થાનમાં પહોંચીને અંતર્મુહૂર્તમાં સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરે, તેને પર્યાપ્તા કહે છે. એકેન્દ્રિય જીવોને ચાર પર્યાપ્તિ હોય છે, આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. અપર્યાપ્તા:- ઉત્પત્તિસ્થાનમાં પહોંચીને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે, ત્યાં સુધી તે જીવને અપર્યાપ્ત કહે છે. એકેન્દ્રિય જીવોની કર્મપ્રકૃતિ, બંધ અને વેદના :| ५ अपज्जत्तसुहमपुढविकाइयाणं भंते !कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मप्पगडीओपण्णत्ताओ,तंजहा- णाणावरणिज्जं जावअंतराइय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ હોય છે. યથા– જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. |६ पज्जत्तसुहमपुढविकाइयाणं भते !कइ कम्मप्पगडीओपण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मप्पगडीओ पण्णत्ताओ,तं जहा- णाणावरणिज्ज जावअंतराइय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ હોય છે, યથા– જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. | ७ अपज्जत्तबायरपुढविकाइयाणं भंते !कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! एवं चेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. | ८ पज्जत्ताबायरपुढविकाइयाणं भंते!कइ कम्मप्पगडीओपण्णत्ताओ? गोयमा ! एवं चेव । एवं एएणं कमेण जावबायरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું. આ રીતે આ જ ક્રમથી યાવતુ પર્યાપ્ત બાદર વનસ્પતિ પર્યત જાણવું. | ९ अपज्जत्तसुहुमपुढविकाइयाणं भंते ! कइ कम्मप्पगडीओ बंधति ? गोयमा ! सत्तविहबंधगा वि,अट्ठविहबंधगा वि । सत्त बंधमाणा आउयवज्जाओसत्तकम्मप्पगडीओ बंधति, अट्ठ बंधमाणा पडिपुण्णाओ अट्ठकम्मप्पगडीओ बंधति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર-હે ગૌતમ! સાત અથવા આઠ કર્મ બાંધે છે. સાત કર્મ બાંધે તો આયુષ્ય કર્મને છોડીને સાત કર્મપ્રકૃતિઓ બાંધે છે. આઠ કર્મને બાંધે, તો પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy