SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫ઃ ઉદ્દેશક-૭, ૪ર૩ | जहा- अपावए, असावज्जे जाव अभूयाभिसंकणे । सेतं पसत्थवइविणए । ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! પ્રશસ્ત વચન વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રશસ્ત વચન વિનયના સાત પ્રકાર છે, યથા– અપાપકારી, નિરવધકારી પાવતુ જીવોને ભય રહિત કરનારા આ સાત પ્રકારના શુભ વચનપ્રયોગ કરવા. આ પ્રશસ્ત વચન વિનયનું કથન થયું. १४० सेकिंतंभते! अप्पसत्थवइविणए? गोयमा !अप्पसत्थवइविणए सत्तविहे पण्णत्ते, तंजहा-पावए, सावज्जे जावभूयाभिसंकणे। सेतंअप्पसत्थवइविणए । सेतंवइविणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપ્રશસ્ત વચન વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! અપ્રશસ્ત વચન વિનયના સાત પ્રકાર છે, યથા- પાપકારી, સાવધકારી યાવત્ જીવોને ભય ઉત્પન્ન કરનારા આ સાત પ્રકારના અશુભ વચન પ્રયોગ ન કરવા. આ અપ્રશસ્ત વચન વિનયનું કથન થયું. આ વચન વિનયનું કથન પૂર્ણ થયું. १४१ से किं तं भंते! कायविणए ? गोयमा! कायविणए दुविहे पण्णत्ते, तं जहापसत्य कायविणए य, अप्पसत्थकायविणए य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાય વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!કાય વિનયના બે પ્રકાર છે, યથા-પ્રશસ્ત કાય વિનય અને અપ્રશસ્ત કાય વિનય. १४२ से किंतंभंते ! पसत्थकायविणए ? गोयमा ! पसत्थकायविणए सत्तविहे पण्णत्ते, तं जहा- आउत्तं गमणं, आउत्तं ठाणं, आउत्तं णिसीयणं, आउत्तं तुयट्टणं, आउत्तं उल्लंघणं, आउत्तं पल्लंघणं, आउत्तं सव्विदियजोगजुजणया । सेतपसत्थकायविणए । શબ્દાર્થ:- આ૩d = ઉપયોગ પૂર્વક, વિવેક યુક્ત, સાવધાની પૂર્વક. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રશસ્ત કાય વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પ્રશસ્ત કાય વિનયના સાત પ્રકાર છે, યથા– સાવધાનીપૂર્વક જવું, સાવધાની પૂર્વક ઊભા રહેવું, સાવધાનીપૂર્વક બેસવું, સાવધાનીપૂર્વક શયન કરવું, સાવધાનીપૂર્વક ઊંબરા આદિનું ઉલ્લંઘન કરવું, સાવધાનીપૂર્વક ખાડા, ટેકરા આદિનું વિશેષ રીતે ઉલ્લંઘન કરવું અને સાવધાનીપૂર્વક ઇન્દ્રિયો અને યોગોની પ્રવૃત્તિ કરવી, આ પ્રશસ્ત કાય વિનયનું કથન થયું. १४३ से किं तं भंते! अप्पसत्थकायविणए ? गोयमा! अप्पसत्थकायविणए सत्तविहे पण्णत्ते,तंजहा-अणाउत्तंगमणं जाव अणाउत्तंसव्विदियजोगजुजणया । सेतअप्पसत्थ कायविणए । सेतंकायविणए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અપ્રશસ્ત કાય વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! અપ્રશસ્ત કાયવિનયના સાત પ્રકાર છે, યથા- અસાવધાનીથી ગમન યાવત્ અસાવધાનીથી ઇન્દ્રિયો અને યોગોની પ્રવૃત્તિ કરવી. આ સાત પ્રકારની કાયાની અશુભ પ્રવૃત્તિ ન કરવી. તે અપ્રશસ્ત કાય વિનયનું કથન થયું. આ કાર્ય વિનયનું કથન થયું. १४४ से किंतंभंते ! लोगोवयारविणए ? गोयमा !लोगोवयारविणए सत्तविहे पण्णत्ते,
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy