SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૩: ઉદ્દેશક-૧ [ ૧૫] ઉદ્વર્તતા નથી. શેષ કથન પૂર્વવત્ છે. ११ धूमप्पभाए णं भंते !पुढवीए केवइया णिरयावाससयसहस्सा पण्णत्ता? गोयमा! तिण्णि णिरयावाससयसहस्सा । एवं जहा पकप्पभाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ધુમપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસ છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ લાખ નરકાવાસ છે. જે રીતે પંકપ્રભાના વિષયમાં કહ્યું, તે જ રીતે અહીં પણ કથન કરવું જોઈએ. १२ तमाए णं भंते ! पुढवीए केवइया णिरयावास सयसहस्सा पण्णत्ता? गोयमा ! एगेपचूणेणिरयावाससयसहस्सेपण्णत्ते। सेसजहा पकप्पभाए। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! તમપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસ છે? ઉત્તર-હે ગૌતમ! પાંચ ન્યૂન એક લાખ નરકાવાસ છે. શેષ સર્વ કથન પંકપ્રભાની સમાન જાણવું જોઈએ. १३ अहेसत्तमाए णं भंते ! पुढवीए कइ अणुत्तरा महइमहालया महाणिरया पण्णत्ता? गोयमा ! पच अणुत्तरा जाव अपइट्ठाणे। तेणं भते! किंसंखेज्जवित्थडा,असंखेज्जवित्थडा? गोयमा !खेज्जवित्थडेय असंखेज्जवित्थडाय। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધઃસપ્તમ પૃથ્વીમાં કેટલા અનુત્તર અને મહત્તમ મહાનરકાવાસ કહ્યા છે? ઉત્તર- હે ગૌતમ! અનુત્તર અને મહત્તમ પાંચ મહાનરકાવાસ છે. યથા– કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન. પ્રશ્ન- હે ભગવન્! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન વિસ્તૃત છે? ઉત્તર-હે ગૌતમ! એક અપ્રતિષ્ઠાન નરકાવાસ સંખ્યાત યોજનવિસ્તૃત છે અને શેષ ચાર નરકાવાસ અસંખ્યાત યોજન વિસ્તૃત છે. १४ अहेसत्तमाए णं भंते ! पुढवीए पंचसु अणुत्तरेसु महइमहालएसु महाणिरएसु संखेज्जवित्थडे णरए एगसमएणं केवइया णेरइया उववति? गोयमा ! जहा पंकप्पभाए, णवरं तिसुणाणेसु ण उववज्जति, ण उव्वदृति, पण्णत्तएसुतहेव अत्थि, एवं असंखेज्जवित्थडेसुवि, णवरं असंखेज्जा भाणियव्वा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધઃસપ્તમ પૃથ્વીના પાંચ અનુત્તર અને મહત્તમ મહાનરકાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત અપ્રતિષ્ઠાન નરકાવાસમાં એક સમયમાં કેટલા નૈરયિકો ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પંકપ્રભાના વિષયમાં કથન કર્યું, તે જ રીતે અહીં પણ કથન કરવું જોઈએ, વિશેષતા એ છે કે અહીં ત્રણ જ્ઞાનવાળા જીવો ઉત્પન્ન થતા નથી અને નીકળતા પણ નથી, પરંતુ સ્થાનસ્થિત આ પાંચ નરકાવાસોના નૈરયિકોમાં રત્નપ્રભા પૃથ્વીની સમાન ત્રણ જ્ઞાની પ્રાપ્ત થાય છે. જે રીતે સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોના વિષયમાં કથન કર્યું, તે જ રીતે અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોના વિષયમાં પણ કથન કરવું જોઈએ. ત્યાં અસંખ્યાત નૈરયિકો કહેવા જોઈએ.
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy