SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ શતક્ર-૧૮: ઉદ્દેશક-૮ [ ૪૪૫ ] જાણે-દેખે છે કે જાણતા-દેખતા નથી? ઉત્તર- હે ગૌતમ! જે રીતે છપસ્થ મનુષ્યોનું કથન કર્યું, તે જ રીતે આધોવધિકનું કથન પણ સમજવું જોઈએ. આ રીતે યાવત્ અનંત પ્રદેશ સ્કંધ સુધી કથન કરવું જોઈએ. ११ परमाहोहिएणं भंते ! मणूसे परमाणुपोग्गलंजंसमयं जाणइतं समयं पासइ, जं समयं पासइ तं समयं जाणइ ? गोयमा !णो इणढे समढे। सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ- परमाहोहिए णं मणुसे परमाणुपोग्गलंजं समयं जाणइ णोतं समयं पासइ, जं समयं पासइ णोतं समयं जाणइ? गोयमा ! सागारे से णाणे भवइ, अणागारे से दसणे भवइ,सेतेणटेणं जावणोतं समयं जाणइ, एवं जावअणंतपएसियं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પરમ અવધિજ્ઞાની મનુષ્ય, પરમાણુ પુદ્ગલને જે સમયે જાણે છે, તે જ સમયે દેખે છે? અને જે સમયે દેખે છે, તે સમયે જ જાણે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. પ્રશ્ન- હે ભગવન્!તેનું શું કારણ છે કે પરમાવધિજ્ઞાની મનુષ્ય પરમાણુ પુદ્ગલને જે સમયે જાણે છે, તે સમયે દેખતા નથી અને જે સમયે દેખે છે, તે સમયે જાણતા નથી ? ઉત્તર- હે ગૌતમ! પરમાવધિજ્ઞાનીને સાકારોપયોગ રૂપ જ્ઞાન હોય છે અને અનાકારોપયોગ રૂપ દર્શન હોય છે. તે બંને ઉપયોગમાંથી એક સમયે એક જ ઉપયોગ હોઈ શકે છે. તેથી કહ્યું છે કે પરમાવધિજ્ઞાની જે સમયે જાણે છે તે સમયે દેખતા નથી અને જે સમયે દેખે છે, તે સમયે જાણતા નથી. આ રીતે અનંત પ્રદેશી સ્કંધ સુધી જાણવું જોઈએ. १२ केवली णं भंते ! मणुस्से परमाणुपोग्गलं, पुच्छा ? गोयमा !जहा परमाहोहिएतहा केवली वि जावअणंतपएसियं ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળજ્ઞાની પરમાણુ યુગલને જે સમયે જાણે છે, તે સમયે દેખે છે, જે સમયે દેખે છે તે સમયે જાણે છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે પરમાવધિજ્ઞાનીના વિષયમાં કથન કર્યું, તે જ રીતે કેવળજ્ઞાનીના વિષયમાં પણ કહેવું જોઈએ. આ રીતે યાવત્ અનંત પ્રદેશ સ્કંધ પર્યત કથન કરવું જોઈએ. ! હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં છદ્મસ્થ, અવધિજ્ઞાની અને કેવળજ્ઞાનીના જ્ઞાન સામર્થ્ય-અસામર્થ્ય નિરૂપિત છે. અહીં છદ્મસ્થ શબ્દથી નિરતિશય જ્ઞાની(સામાન્ય મતિ, શ્રુતજ્ઞાની)નું ગ્રહણ થાય છે. ગાગાસઃ-જાણવું અને જોવું. આગમોમાં આ બંને શબ્દોનો પ્રયોગ અનેક સ્થાને થયો છે. પ્રસંગાનુસાર તેના અર્થ થાય છે. નાગ૬-જાણવું. (૧) સાકારોપયોગ– જ્ઞાનનો ઉપયોગ તે જાણવું (૨) મતિ-કૃત આદિ જ્ઞાનથી પદાર્થનો વિશેષ બોધ થવો. પ -જોવું (૧) અનાકારોપયોગ રૂ૫ દર્શનથી જોવું (૨) ચક્ષુગ્રાહ્ય વસ્તુને ચક્ષુરિન્દ્રિયથી સાક્ષાત જોવી. છદ્મસ્થના પ્રસંગમાં ગાબડુનો અર્થ ‘મતિ–શ્રુતજ્ઞાનથી જાણવું અને પાડ્યો અર્થ ‘ચક્ષુરિન્દ્રિયથી જોવું” તે પ્રમાણે થાય છે.
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy