SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૧૬: ઉદ્દેશક-૩ ૨૭૯ ] चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ । तेणं कालेणं तेणं समएणं उल्लुयतीरे णामंणयरे होत्था, वण्णओ। तस्स णं उल्लुयतीरस्स णयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसिभाए एत्थ णं एगजबूए णामंचेइए होत्था, वण्णओ। तएणं समणे भगवंमहावीरे अण्णयाकयाइफुवाणुविचरमाणे जावएगजंबूए चेइएसमोसढे जाव परिसा पडिगया। भंते !त्ति भगवंगोयमे समणं भगवं महावीरंवदइ णमंसइ, वंदित्ता णमसित्ता एवं वयासीભાવાર્થ:- ત્યાર પછી કોઈ એક દિવસે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ રાજગૃહ નગરના ગુણશીલક ઉધાનમાંથી વિહાર કર્યો અને અન્ય ક્ષેત્રોમાં વિચરવા લાગ્યા. તે કાલે, તે સમયે ઉત્સુક તીર નામનું નગર હતું. તે ઉલુક-તીર નગરની બહાર ઈશાનકોણમાં “એક જબુક’ નામનું ઉદ્યાન હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનુક્રમથી વિચરતાં-વિચરતાં એકદા જબૂ નામના ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ દર્શન કરવા આવી અને ધર્મોપદેશ સાંભળીને પાછી ફરી. હે ભગવન્! એ પ્રમાણે સંબોધન કરીને ભગવાન ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું ४ अणगारस्सणं भंते ! भावियप्पणो छटुंछट्टेणं अणिक्खित्तेणं जाव आयावेमाणस्स तस्स णं पुरच्छिमेणं अवड्ढ दिवसं णो कप्पइ हत्थं वा पायं वा बाहुं वा ऊरुं वा आउंटावेत्तए वा पसारेत्तए वा, पच्चच्छिमेणं से अवड्ढदिवसं कप्पइ हत्थं वा पायंवा बाहुं वा ऊरुं वा आउंटावेत्तए वा पसारेत्तए वा । तस्स णं अंसियाओ लंबंति,तं चेव वेज्जे अदक्खु, ईसिंपाडेइ, पाडेत्ता असियाओ छिदेज्जा,सेणूण भते !जे छिदइ तस्स किरियाकज्जइ.जस्स छिज्जइणोतस्सकिरिया कज्जइणण्णत्थेोणधम्मतराइएणं? हंता गोयमा !जे छिंदइ जाव धम्मंतराइएणं ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ શબ્દાર્થ - ગવ અપાદ્ધ-દિવસ, અર્થો દિવસ શંસિયા- અર્શ, મસા મg = જોયા પાડ = તે ઋષિને અર્શ કાપવા માટે ભૂમિ પર સૂવડાવે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નિરંતર છઠ્ઠ-છઠ્ઠના તપપૂર્વક આતાપના લેતા ભાવિતાત્મા અણગારને દિવસના પૂર્વાર્ધભાગમાં પોતાના હાથ, પગ ભુજા અને જંઘાને હલાવવા-ચલાવવા નહીં અને દિવસના પાછલા ભાગમાં હાથ-પગ, ભુજા અને ઉરુને હલાવવા-ચલાવવા તેવા અભિગ્રહ સહિત કાયોત્સર્ગમાં સ્થિત ભાવિતાત્મા અણગારની નાસિકામાં મસા લટકતા હોય, તે મસાને જોઈને કોઈ વૈધ તેને કાપવા માટે તે ઋષિને ભૂમિ પર સૂવડાવે, તેના મસાને કાપે, તો હે ભગવન્! શું મસા કાપનાર તે વૈદ્યને ક્રિયા લાગે અને જેના મસા કપાઈ રહ્યા છે, તે ઋષિને ક્રિયા લાગતી નથી, શું તેને માત્ર ધર્મધ્યાનમાં વિક્ષેપ થાય છે? ઉત્તર– હા ગૌતમ! તે પ્રમાણે થાય છે અર્થાતુ પોતાની મેળે જે મસા કાપે છે, તેને ક્રિયા લાગે છે અને ઋષિને કોઈ ક્રિયા લાગતી નથી. તેને માત્ર ધર્મધ્યાનમાં વિક્ષેપ થાય છે. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy