SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શતક્ર–૧૩: ઉદ્દેશક-૭ ૯૯ | પુનઃ ચાર-ચાર ભેદ થવાથી કુલ પ૪૪ = ૨૦ ભેદ થાય છે. નૈરયિક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ આવી ચિમરણઃ-નૈરયિક જીવનું નરકાયુ ક્ષણે-ક્ષણે ક્ષીણ થાય છે, તે નૈરયિક દ્રવ્યાવચિમરણ છે. નરકક્ષેત્રમાં રહેલા નૈરયિક જીવનો ક્ષણે-ક્ષણે જે ક્ષેત્રસંયોગ વ્યતીત થાય છે. તે નૈરયિક ક્ષેત્રાવચિમરણ છે. નૈરયિક કાલમાં રહેલા નૈરયિક જીવની ક્ષણે-ક્ષણે આયુષ્ય સ્થિતિ ક્ષય થાય છે, તે નૈરયિક કાલાવચિમરણ છે. નારક ભવમાં રહેલા નૈરયિક જીવના ક્ષણે-ક્ષણે ભવનિબંધક કર્મ ક્ષય થાય છે, તે નૈરયિક ભવાવી ચિમરણ છે. નૈરયિક ભાવમાં વર્તતા નૈરયિક જીવના ક્ષણે ક્ષણે દુઃખ, અશાંતિ વગેરે ભાવો વ્યતીત થાય છે, તે નૈરયિક ભાવાવ ચિમરણ છે. આ રીતે ચારે ગતિની અપેક્ષાએ મરણના વીસ ભેદ થાય છે. અવધિમરણ:२३ ओहिमरणे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहादव्वोहि-मरणे,खेत्तोहिमरणे जावभावोहिमरणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવધિમરણના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ! પાંચ પ્રકાર છે. યથા- દ્રવ્યાવધિમરણ, ક્ષેત્રાવધિમરણ, કાલાવધિમરણ અને ભવાવધિમરણ અને ભાવાવધિમરણ. २४ दव्वोहि-मरणे णं भंते ! कइविहे पण्णते? गोयमा ! चउव्विहे पण्णत्ते,तं जहाणेरइयदव्वोहिमरणे जावदेवदव्वोहिमरणे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્યાવધિમરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ચાર પ્રકાર છે. યથા-નૈરયિકદ્રવ્યાવધિમરણ, તિર્યંચયોનિકદ્રવ્યાવધિમરણ, મનુષ્યદ્રવ્યાવધિમરણ અને દેવદ્રવ્યાવધિમરણ. २५ सेकेणतुणं भंते ! एवं वुच्चइ- णेरइयदव्वोहि-मरणे णेरइयदव्वोहि मरणे? गोयमा ! जण्णं णेरइया णेरइयदव्वे वट्टमाणा जाइंदव्वाइं संपयं मरति, ते णं णेरइया ताईदव्वाइं अणागएकाले पुणो विमरिस्संति,सेतेणटेणंगोयमा ! जावणेरइय दव्वोहिमरणे। एवंतिरिक्खजोणियमणुस्सदेवदव्वोहिमरणेवि। एवंएएणंगमेणंखेतोहिमरणे वि, कालोहिमरणे वि, भवोहिमरणे वि, भावोहिमरणे वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિક દ્રવ્યાવધિમરણને “નૈરયિક દ્રવ્યાવધિમરણ” કહે છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિકપણે રહેલા નૈરયિક જીવ, જે દ્રવ્યોને વર્તમાન સમયે છોડે છે અને પુનઃ તે જ જીવ, ભવિષ્યકાલમાં નૈરયિક થઈને તે જ દ્રવ્યોને ગ્રહણ કરીને પુનઃ છોડશે. તેથી હે ગૌતમ ! નૈરયિક દ્રવ્યાવધિમરણને “નૈરયિક દ્રવ્યાવધિમરણ” કહે છે. તે જ રીતે તિર્યંચયોનિક દ્રવ્યાવધિમરણ, મનુષ્ય દ્રવ્યાવધિમરણ અને દેવદ્રવ્યાવધિમરણ જાણવું જોઈએ. તે જ રીતે ક્ષેત્રાવધિમરણ, કાલાવધિમરણ, ભવાવધિમરણ અને ભાવાવધિમરણ પણ સમજવું જોઈએ. વિવેચન : અવધિમરણમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવની અપેક્ષાએ પાંચ ભેદ અને પ્રત્યેકના ચાર
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy