SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ શતક્ર–૧૩: ઉદ્દેશક-૪ | ૭ | કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! કદાચિતુ એક, બે, ત્રણ પ્રદેશ અવગાઢ હોય છે. આ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના વિષયમાં પણ કથન કરવું જોઈએ. શેષ જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયના વિષયમાં બે પુદ્ગલ પ્રદેશોના કથનની જેમ કહેવું જોઈએ. ચારથી દસ પ્રદેશ સુધી પ્રથમના ત્રણ અસ્તિકાયના વિષયમાં એક એક પ્રદેશ વધારવો જોઈએ. શેષ ત્રણ અસ્તિકાય દ્રવ્ય(જીવ, પુદ્ગલ અને કાલ)ના વિષયમાં બે પુદ્ગલ પ્રદેશોના વર્ણનઅનુસાર કથન કરવું જોઈએ યાવત્ દશ પ્રદેશી સુધી કરવું જોઈએ. અર્થાત્ જ્યાં પુદ્ગલાસ્તિકાયના દશ પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યના કદાચિત્ એક, બે, ત્રણ વાવતુ દશ પ્રદેશ અવગાઢ હોય છે. જ્યાં પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યના કદાચિતુ એક, બે, ત્રણ યાવત દશ પ્રદેશ, ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે. જ્યાં પુદ્ગલાસ્તિકાયના અસંખ્ય પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યના કદાચિત્ એક બે,ત્રણ પ્રદેશ યાવતું સંખ્યાત પ્રદેશ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે. જે રીતે પગલાસ્તિકાયના અસંખ્ય પ્રદેશોના વિષયમાં કથન કર્યું, તે જ રીતે અનંત પ્રદેશોના વિષયમાં પણ કહેવું જોઈએ. અર્થાતુ જ્યાં પુગલાસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાય આદિત્રણ દ્રવ્યના કદાચિત એક,બે,ત્રણ પ્રદેશ યાવત સંખ્યાત પ્રદેશ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત પ્રદેશ અવગાઢ હોય છે. ७६ जत्थ णं भंते ! एगे अद्धासमए ओगाढे तत्थ केवइया धम्मत्थिकायपएसा ओगाढा? गोयमा ! एक्को । केवइया अहम्मत्थि कायपएसा? एक्को । केवइया भंते आगासत्थि कायपएसा? एक्को। केवइया जीवत्थि कायपएसा? अणता । एवं जाव अद्धासमया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યાં એક અદ્ધા-સમય અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક પ્રદેશ અવગાઢ હોય છે. પ્રશ્ન- અધમસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- એક પ્રદેશ અવગાઢ હોય છે. પ્રશ્ન- આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- એક પ્રદેશ અવગાઢ હોય છે. પ્રશ્ન- જીવાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- અનંત પ્રદેશ અવગાઢ હોય છે, આ રીતે યાવતુ અદ્ધા સમય સુધી કથન કરવું જોઈએ. ७७ जत्थणं भंते ! धम्मत्थिकाए ओगाढे तत्थ केवइया धम्मत्थिकायपएसा ओगाढा? गोयमा !णत्थि एक्को वि । केवइया अहम्मत्थिकायपएसा ओगाढा? असंखेज्जा। केवइया आगासत्थिकायपएसा ओगाढा? असंखेजा। केवइया जीवत्थिकायपएसा ओगाढा? अणंता । एवं जावअद्धासमया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યાં ધર્માસ્તિકાય દ્રવ્ય અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! ત્યાં ધર્માસ્તિકાયનો એક પણ પ્રદેશ અવગાઢ હોતો નથી. પ્રશ્ન- ત્યાં અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- અસંખ્ય પ્રદેશ અવગાઢ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! ત્યાં આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર-હે ગૌતમ! અસંખ્ય
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy