SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ શ્રી ભગવતી સૂત્ર–૩ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભવિકદ્રવ્ય દેવનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અનંતકાલ અર્થાત્ વનસ્પતિકાલ પર્યંતનું અંતર હોય છે. | ३२ णरदेस्स णं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! जहण्णेणं साइरेगं सागरोवमं, उक्कोसेणं अनंतं कालं - अवड्डुं पोग्गलपरियट्टं देसूणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નરદેવનું અંતર કેટલા કાલનું છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય કંઈક અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ અનંતકાલ, દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પર્યંતનું હોય છે. | ३३ धम्मदेवस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! जहण्णेणं पलिओवमपुहुत्तं, उक्कोसेणं अनंतं कालं - अवड्डुं पोग्गलपरियट्टं देसूणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ધર્મદેવનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અનેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અનંતકાલ-દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન પર્યંતનું હોય છે. ३४ देवाहिदेवाणं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! णत्थि अंतरं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવાધિદેવનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! દેવાધિદેવનું અંતર નથી. | ३५ भावदेवस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं - वणस्सइकालो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભાવદેવનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પર્યંતનું અંતર હોય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં પાંચે ય પ્રકારના દેવોનું અંતર બતાવ્યું છે અર્થાત્ તે દેવપણાના ભાવને છોડયા પછી પુનઃ કેટલા કાલ પછી તે જ દેવપણાના ભાવને પ્રાપ્ત કરે છે ? તે કાલમાનને અંતર કહે છે. શેષ સંપૂર્ણ કથન સૂત્રપાઠથી સ્પષ્ટ છે. जहण्णेणं दसवास सहस्साइं अंतोमुहुत्तमब्भहियाई ઃ– દેવ ભવનું આયુષ્ય બાંધ્યા પછી જીવ ભવિક દ્રવ્ય દેવ કહેવાય છે. આ અપેક્ષાએ તેનું જઘન્ય અંતર પણ દસ હજાર વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક કહ્યું છે. દેવભવના આયુષ્ય બંધ પછી તેના મૃત્યુ પર્યંત તે ભવિકદ્રવ્યદેવ કહેવાય છે. તે આયુષ્ય પૂર્ણ કરી
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy