SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૮ ] શ્રી ભગવતી સૂત્ર-૩ ઉત્તર-હે ગૌતમ!તે નૈરયિક અને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ९ जइ णेरइएहिंतो उववज्जति किं रयणप्पभापुढविणेरइएहिंतो उववज्जति जाव अहेसत्तमपुढविणेरइएहिंतो उववज्जति ? गोयमा ! रयणप्पभापुढविणेरइएहिंतो उववज्जंति, णो सक्करप्पभापुढवि णेरइएहिंतो जाव णो अहेसत्तमपुढविणेरइएहिंतो उववज्जति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જો તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું રત્નપ્રભા પૃથ્વીના નૈરિયકો યાવતું અધઃ સપ્તમ પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે એક રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાંથી જ આવીને ઉત્પન્ન થાય છે, પરંતુ શર્કરા પ્રભા પૃથ્વીના નૈરિયકોમાંથી યાવત્ અધસપ્તમ પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. १० जइ देवेहिंतो उववज्जति किं भवणवासिदेवेहिंतो उववज्जति, वाणमंतरजोइसिय-वेमाणियदेवेहिंतो उववज्जति ? गोयमा ! भवणवासिदेवेहितो वि उववज्जंति, वाणमंतर देवेहितो वि, एवं सव्वदेवेसु उववाएयव्वा, वक्कतिभेएणं जाव सव्वट्ठसिद्धत्ति । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જો તે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? - ઉત્તર- હે ગૌતમ! તે ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક સર્વદેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, આ રીતે દેવોના વિષયમાં સર્વાર્થસિદ્ધ પર્યત વ્યુત્ક્રાંતિ પદમાં કથિત આગતિ કહેવી જોઈએ. |११ धम्मदेवा णं भंते ! कओहिंतो उववज्जति, किं णेरइएहिंतो उववज्जति, પુછી ? गोयमा ! वक्कंतिभेएणं सव्वेसु उववाएयव्वा जाव सव्वट्ठसिद्ध त्ति । णवरं तमा-अहेसत्तमास्तेउवाउअसंखिज्ज-वासाउयअकम्मभूमग-अंतरदीवग-वज्जेसु । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધર્મદેવ નરક આદિ કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! આ સર્વવર્ણન વ્યુત્ક્રાંતિ પદમાં કથિત ભેદ સહિત સર્વાર્થસિદ્ધ સુધીની આગતિ કહેવી જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે તમ:પ્રભા અને અધઃસપ્તમપૃથ્વીમાંથી તથા તેઉકાય, વાયુકાય, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અંતરદ્વીપજ યુગલિકોમાંથી આવીને ધર્મદેવ થતા નથી.
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy