SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૦] શ્રી ભગવતી સત્ર-૨ (૫) અકારણ દોષ :- સાધુને માટે જ કારણથી આહાર કરવાનું અને છ કારણથી આહાર છોડવાનું વિધાન છે યથા वेयण वेयावच्चे, इरियट्ठाए य संजमट्ठाए । તા પાવરિયા, છઠ્ઠ પુખ ધર્માચતાણ I [ઉત્તરાધ્યયન-૨૬/૩૩]. અર્થ– (૧) સુધાવેદનીયને શાંત કરવા (૨) વૈયાવચ્ચ કરવા (૩) ઈર્યાસમિતિનું શોધન કરવા (૪) સંયમ નિર્વાહાર્થે (૫) પ્રાણને-શરીરને ટકાવવા (૬) ધર્મ ચિંતન કરવા, આ છે કારણોમાંથી કોઈ પણ કારણે સાધુ આહાર કરી શકે છે. આહાર ત્યાગના પણ છે કારણ છે, યથા आयंके उवसग्गे, तितिक्खया बंभचेरगुत्तीसु । પાળવા તવહેલું, સરીર વોર્જીયાણ II [ઉત્તરાધ્યયન-ર૩૫] અર્થ– (૧) રોગ ઉત્પન્ન થાય (૨) દેવાદિનો ઉપસર્ગ આવે (૩) બ્રહ્મચર્યની રક્ષા માટે (૪) જીવદયા માટે (૫) તપ કરવા માટે (૬) અંતિમ સમયે શરીરનો ત્યાગ કરવો. આ જ કારણે સાધુ આહારનો ત્યાગ કરે છે. ઉક્ત કારણો વિના કેવલ બલવીર્યની વૃદ્ધિ માટે આહાર કરવો, તેને અકારણ દોષ કહે છે. ક્ષેત્રાતિકાંત દોષ – અહીં ક્ષેત્રનો અર્થ સૂર્ય સંબંધી તાપ ક્ષેત્ર અર્થાત્ દિવસ છે. તેનું અતિક્રમણ કરવું તે ક્ષેત્રાતિક્રાંત છે. સૂર્યોદય પહેલાં લાવેલો આહાર સૂર્યોદય પછી વાપરવો અને સૂર્યાસ્ત પહેલાં લાવેલો આહાર સૂર્યાસ્ત પછી વાપરવો, તે ક્ષેત્રાતિક્રાંત દોષ છે. કાલાસિકાંત દોષ :- પ્રથમ પ્રહરમાં લાવેલા આહારનું ચોથા પ્રહરમાં સેવન કરવું તે કાલાતિકાંત દોષ છે. માગતિકાંત દોષ :- ગ્રહણ કરેલા આહાર પાણી બે ગાઉ = ૭ કિ. મી. થી આગળ લઈ જવા, તે માર્ગીતિક્રાંત દોષ છે. પ્રમાણાતિકાંત દોષ :- ૩ર કવલથી અધિક આહાર કરવો, ભૂખથી વધારે આહાર કરવો, ઠાંસી ઠાંસીને આહાર કરવો, તે પ્રમાણાતિક્રાંત દોષ છે. સાધુની સમગ્ર આહાર વિધિ :२३ अह भंते ! सत्थातीयस्स सत्थपरिणामियस्स एसियस्स वेसियस्स सामुदाणियस्स पाणभोयणस्स के अढे पण्णत्ते ? गोयमा ! जे णं णिग्गंथे वा णिग्गंथी वा णिक्खित्त-सत्थमुसले, ववगयमाला- वण्णगविलेवणे; ववगयचुयचइयचत्तदेह, जीवविप्पजढं; अकयं, अकारियं, असंकप्पियं, अणाहूयं, अकीयकडं अणुद्दिटुं, णवकोडीपरिसुद्धं, दसदोसविप्पमुक्कं, उग्गमुप्पाय- णेसणा सुपरिसुद्ध; वितिंगालं वीतधूम,
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy