SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૧: ઉશકે—૧ _ | ૨૯ | ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારોનો આહાર બે પ્રકારનો છે. આભોગનિવર્તિત અને અનાભોગ નિર્વર્તિત. આ બંનેમાંથી અનાભોગ નિવર્તિત અિબુદ્ધિ પૂર્વકનો આહાર વિરહ રહિત–પ્રતિ સમય થાય છે. પરંતુ આભોગ નિર્વર્તિત આહારની અભિલાષા જઘન્ય ચતુર્થ ભક્ત અર્થાત્ એક અહોરાત્રે અને ઉત્કૃષ્ટ એક હજાર વર્ષથી કંઈક અધિક સમયે થાય છે. |२५ असुरकुमारा णं भंते ! किं आहारं आहारैति? गोयमा ! दव्वओ अणंतपएसियाइं दव्वाइं, खित्तकालभाव पण्णवणागमेणं, सेसं जहा णेरइयाणं जाव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર ક્યા પુદ્ગલોનો આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યથી અનંત પ્રદેશી દ્રવ્યોનો આહાર કરે છે. ક્ષેત્ર કાલ અને ભાવની અપેક્ષાએ પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર વર્ણન જાણવું જોઈએ. શેષ કથન નરયિકોના પ્રકરણ અનુસાર જાણવું જોઈએ. | २६ ते णं तेसिं पोग्गला कीसत्ताए भुज्जो भुज्जो परिणमंति ? गोयमा! सोइदियत्ताए जाव फासिंदियत्ताए, सुरूवत्ताए, सुवण्णत्ताए, इट्ठत्ताए इच्छियत्ताए, भिज्जियत्ताए, उड्डत्ताए, णो अहत्ताए, सुहत्ताए, णो दुहत्ताए, भुज्जो भुज्जो परिणमंति। શબ્દાર્થ:- સુરંવત્તા = સુંદર રૂપે સુવUત્તા= સુવર્ણરૂપે કૂત્તા= ઈષ્ટરૂપે રૂછિયત્તા = ઈચ્છિત રૂપે નિયતા = મનોહરરૂપે કુત્તાઈ = ઉર્ધ્વતા રૂપે અદત્તાપ-નિમ્નતારૂપે (ગુરુતારૂપે) ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દ્વારા ગ્રહણ કરાયેલા આહારના પુદ્ગલો વારંવાર કેવા રૂપે પરિણમે છે? ઉત્તર- હે ગૌતમ! શ્રોતેન્દ્રિયથી સ્પર્શેન્દ્રિય પર્યંતની પાંચ ઈન્દ્રિય રૂપે, સુંદરરૂપે, સુવર્ણ રૂપે, ઈષ્ટ રૂપે, ઈચ્છિત રૂપે, મનોહર(અભિલષિત) રૂપે, ઉર્ધ્વરૂપે (લઘુતારૂપે) પરિણત થાય છે. નિમ્નતા રૂપે (ગુરુતા રૂપે) નહીં. સુખરૂપમાં પરિણત થાય છે પરંતુ દુઃખ રૂપમાં પરિણત થતા નથી. २७ असुरकुमाराणं पुव्वाहारिया पोग्गला परिणया? असुरकुमाराभिलावे णं जहाणेरइयाणं जावणो अचलियं कम्मं णिज्जरेति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું અસુરકુમારો દ્વારા આહત-પહેલા ગ્રહણ કરાયેલા પુદ્ગલ પરિણત થાય છે? ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારના સર્વ આલાપક નારકોની જેમ જાણવા જોઈએ. અચલિત
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy