SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૦૨ ] શ્રી ભગવતી સૂત્ર-૧ શતક-૪ : ઉદ્દેશક-૫,૬,૭,૮ રાજધાની ઇશાનેન્દ્રના લોકપાલની રાજધાની - | १ रायहाणीसु वि चत्तारि उद्देसा भाणियव्वा जाव एमहिड्डीए जाव वरुणे महाराया। ભાવાર્થ :- ઈશાનેન્દ્રના ચાર લોકપાલોની રાજધાનીઓના ચાર ઉદ્દેશક કહેવા જોઈએ અર્થાત્ એક–એક લોકપાલની રાજધાની સંબંધી વર્ણન પૂર્ણ થતાં, એક ઉદ્દેશક પૂર્ણ થાય છે, તેમ ચારે રાજધાનીના વર્ણનમાં ચાર ઉદ્દેશક પૂર્ણ થાય છે. આ રીતે ક્રમશઃ પાંચથી આઠમા ઉદ્દેશકમાં વરુણ મહારાજા પર્યત વર્ણન છે તેમજ તે આટલી મહાઋદ્ધિ સંપન્ન, વિફર્વણા શક્તિ સંપન્ન છે. વિવેચન : પ્રસ્તુત ચાર ઉદ્દેશકોનું એક જ સૂત્ર દ્વારા અતિદેશ પૂર્વક વર્ણન કર્યું છે. જીવાભિગમ સુત્રમાં વર્ણિત વિજય રાજધાનીના વર્ણનની સમાન ચાર રાજધાનીઓના ચાર ઉદ્દેશકોનો પ્રારંભ આ પ્રમાણે કરવો જોઈએ. પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના લોકપાલ સોમ મહારાજાની સોમા નામક રાજધાની ક્યાં છે? ઉત્તર- તે રાજધાની 'સુમન' નામક મહાવિમાનની બરોબર નીચે છે. ઈત્યાદિ વર્ણન પૂર્વવત્ કરવું જોઈએ. એ રીતે ક્રમશઃ એક એક રાજધાનીના સંબંધમાં પ્રશ્નોત્તર પૂર્વક વર્ણન કરીને ચારે ય લોકપાલોની રાજધાની સંબંધી એક એક ઉદ્દેશક કહેવો જોઈએ.એક સરખું વર્ણન હોવાથી સંક્ષિપ્તિકરણમાં અતિદેશપૂર્વક મૂળપાઠ છે. છતાં તેનો વિષય પહેલાં જ સ્પષ્ટ થઈ ગયેલ છે. શતક ૪/૫ થી ૮ સંપૂર્ણ છે
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy