SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ss | શ્રી ભગવતી સૂત્ર-૧ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે તથાભાવે જાણતા નથી અને દેખતા નથી, પરંતુ અન્યથાભાવે જાણે, દેખે છે? - ઉત્તર- હે ગૌતમ ! તે સાધુના મનમાં આ પ્રકારનો વિચાર હોય છે કે વાણારસીમાં રહેલા મેં રાજગૃહ નગરની વિદુર્વણા કરી છે અને વિદુર્વણા કરીને વાણારસીના રૂપને જાણું છું, દેખું છું. આ રીતે તેનું દર્શન વિપરીત હોય છે. તેથી એ પ્રમાણે કહેવાય છે કે તે તથાભાવે જાણતા નથી, દેખતા નથી પરંતુ અન્યથા ભાવે જાણે, દેખે છે. | ४ अणगारे णं भंते ! भावियप्पा माई मिच्छदिट्ठी वीरियलद्धीए जावरायगिहे णयरे समोहए, समोहणित्ता वाणारसीए णयरीए रूवाई जाणइ पासइ ? हंता, जाणइ पासइ । तं चेव जाव तस्स णं एवं भवइ- एवं खलु अहं वाणारसीए णयरीए समोहए, समोहणित्ता रायगिहे णयरे रूवाइं जाणामि पासामि, से से दसणे विवच्चासे भवइ, से तेणटेणं जाव अण्णहाभावं जाणइ पासइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વાણારસીમાં રહેલા માયી મિથ્યાદષ્ટિ ભાવિતાત્મા અણગાર, વીર્યલબ્ધિ આદિથી શું રાજગૃહ નગરની વિદુર્વણા કરીને વાણારસીના રૂપોને જાણે, દેખે છે? હા, ગૌતમ ! તે અણગાર તે રૂપોને જાણે, દેખે છે. તે સાધુના મનમાં આ પ્રકારનો વિચાર હોય છે કે રાજગૃહમાં રહેલો હું વાણારસી નગરીની વિદુર્વણા કરીને રાજગૃહીના રૂપોને જાણું, દેખું . આ રીતે તેનું દર્શન વિપરીત હોય છે. તેથી તે અન્યથાભાવે જાણે, દેખે છે. | ५ अणगारे णं भंते ! भावियप्पा माई मिच्छदिट्ठी वीरियलद्धीए वेउव्विय लद्धीए विभंगणाणलद्धीए वाणारसी णयरिं रायगिहं च णयरं अंतरा एगं महं जणवयवग्गं समोहए, समोहणित्ता वाणारसिं णयरिं, रायगिहं च णयरं अंतरा एगं महं जणवयवग्गं जाणइ पासइ ? हंता, जाणइ पासइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું માયી મિથ્યાદષ્ટિ ભાવિતાત્મા અણગાર પોતાની વીર્ય લબ્ધિથી, વૈક્રિય લબ્ધિથી અને વિર્ભાગજ્ઞાન લબ્ધિથી વાણારસી નગરી અને રાજગૃહ નગરની મધ્યમાં એક મોટા જનપદ વર્ગ દિશ સમૂહની વિદુર્વણા કરીને તે મોટા જનપદ વર્ગને જાણે, દેખે છે? હા, ગૌતમ! તે અણગાર તે જનપદ વર્ગને જાણે, દેખે છે. ६ से भंते ! किं तहाभावं जाणइ पासइ, अण्णहाभावं जाणइ पासइ ? गोयमा ! णो तहाभावं जाणइ पासइ, अण्णहाभावं जाणइ पासइ ।
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy