SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૩૬ ] શ્રી ભગવતી સૂત્ર-૧ से णूणं मंडियपुत्ता ! से उदगबिंदू तत्तंसि अयकवल्लंसि पक्खित्ते समाणे खिप्पामेव विद्धंसमागच्छइ ? हंता, विद्धसमागच्छइ । से जहा णामए हरए सिया पुण्णे पुण्णप्पमाणे वोलट्टमाणे वोसट्टमाणे समभर घडताए चिट्ठइ । अहे णं केइ पुरिसे तंसि हरयंसि एगं महं णावं सयासवं सयच्छिदं ओगाहेज्जा । से णूणं मंडियपुत्ता ! सा णावा तेहिं आसवदारेहि आपूरेमाणी आपूरेमाणी पुण्णा पुण्णप्पमाणा वोलट्टमाणा वोसट्टमाणा समभरघडताए चिट्ठइ ? हंता चिट्ठइ । अहे णं केइ पुरिसे तीसे णावाए सव्वओ समंता आसवदाराई पिहेइ, पिहित्ता णावा-उस्सिंचणएणं उदयं उस्सिचिज्जा, से णूणं मंडियपुत्ता ! सा णावा तंसि उदयंसि उस्सिचिजसि समाणंसि खिप्पामेव ૩છું ૩દ્દા ? હતા, ૩દ્દાફા શબ્દાર્થ :- તળહત્વયં = ઘાસના પૂળાને, નાવયંતિ = અગ્નિમાં, મલમલવિનડુ = બાળી નાંખે છે. તાંતિ અવતસિ= તપ્ત લોખંડની કડાઈમાં, દર = પાણીનું દ્રહ, પુom = પૂર્ણ, વોટ્ટમ = છલોછલ ભરેલું હોય, વોટ્ટમા = પાણી છલકાઈ રહ્યું હોય, તેવાસવ સછિદં = સેંકડો તિરાડો-વાળી સેંકડો, છિદ્રવાળી, સવારે ૬ = પાણી આવવાના માર્ગને,પિ = ઢાંકી દે, બંધ કરી દે, લવાણM = ઉલેચવાના સાધનથી, ૩ ૩૬૬ = ઉપર આવે. ભાવાર્થ - પ્રશ્ન- જેમ કોઈ પુરુષ, સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાખે, તો હે મંડિતપુત્ર! તે સૂકા ઘાસનો પૂળો અગ્નિમાં નાંખતા જ શું શીધ્ર બળી જાય છે? હા, ભગવન્! તે બળી જાય છે. જેમ કોઈ પુરુષ, અગ્નિથી તપેલી લોઢાની કડાઈ પર પાણીનું એક ટીપુ નાખે, તો હે મંડિતપુત્ર! તપેલી લોઢાની કડાઈ પર નાંખેલુ જલબિંદુ તુરંત નષ્ટ થઈ જાય છે? હા, ભગવન્! તે તુરંત જ નષ્ટ થઈ જાય છે. જેમ કોઈ એક સરોવર છે જે પાણીથી પરિપૂર્ણ હોય, પૂર્ણ ભરેલું હોય, છલોછલ ભરેલું હોય, તેનું પાણી છલકાય રહ્યું હોય, પાણીથી ભરેલા ઘટની સમાન તે સર્વત્ર પાણીથી વ્યાપ્ત હોય, તે સરોવરમાં કોઈ પુરુષ સેંકડો તિરાડોવાળી અથવા સેંકડો છિદ્રોવાળી એક મોટી નૌકાને તરતી મૂકે, તો હે મંડિતપુત્ર ! તે છિદ્રો દ્વારા પાણી ભરાતા, તે નાવ શું પાણીથી પરિપૂર્ણ ભરાય જાય છે? તે પાણીથી છલોછલ ભરાય જાય છે? તેમાંથી પાણી છલકાવા લાગે છે? પાણીથી ભરેલા ઘટની જેમ સર્વત્ર પાણીથી વ્યાપ્ત થઈ જાય છે? હા, ભગવન્! તે પૂર્વોક્ત પ્રકારે થઈ, ભરાય જાય છે. હે મંડિતપુત્ર! કોઈ પુરુષ તે નાવના સમસ્ત છિદ્રોને બંધ કરી દે અને નાવમાં ભરાયેલા પાણીને ઉલેચી નાખે, તો શું તે નાવ તરત જ પાણીની ઉપર આવી જાય છે? હા, ભગવન્! તે તરત જ પાણીની ઉપર આવી જાય છે.
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy