SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૨ ઃ ઉદ્દેશક ૧૦ છે તેમજ સમસ્ત ધર્માસ્તિકાયનો સ્પર્શ કરે છે ? ઈત્યાદિ પૃચ્છા. ઉત્તર– હે ગૌતમ ! જે રીતે રત્નપ્રભા પૃથ્વીને માટે કથન કર્યું, તે જ રીતે રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિના વિષયમાં કથન કરવું જોઈએ અને તે જ રીતે ઘનવાત અને તનુવાતના વિષયમાં પણ કથન કરવું જોઈએ. २३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीसए उवासंतरे धम्मत्थिकायस्स किं संखेज्जइभागं फुसइ, असंखेज्जइभागं फुसइ जाव सव्वं फुसइ ? ૩૪૧ गोयमा ! संखेज्जइभागं फुसइ, णो असंखेज्जइभागं फुसइ, णो संखेज्जे, णो असंखेज्जे, णो सव्वं फुसइ । उवासंतराइंसव्वाइं जहा रयणप्पभाए पुढवीए वत्तव्वया भणिया, एवं जाव अहेसत्तमाए । जंबूदीवाइया दीवा, लवणसमुद्दाइया समुद्दा, एवं सोहम्मे कप्पे जाव ईसीपब्भारा पुढवी, एए सव्वे वि असंखेज्जइभागं फुसइ, सेसा पडिसेहियव्वा । एवं अधम्मत्थिकाए, एवं लोयागासे वि । पुढवोदही घण तणू, कप्पा गेवेज्जणुत्तरा सिद्धी । संखेज्जइभागं अंतरेसु, सेसा असंखेज्जा ॥ ભાવાર્થ :પ્રશ્ન- હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીનું અવકાશાન્તર શું ધર્માસ્તિકાયના સંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે, અસંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે તેમજ સમસ્તનો સ્પર્શ કરે છે ? ઈત્યાદિ પૃચ્છા. ઉત્તર– હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનું અવકાશાન્તર ધર્માસ્તિકાયના સંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે; અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો તથા સંપૂર્ણ ધર્માસ્તિકાયનો સ્પર્શ કરતું નથી. તે જ રીતે સમસ્ત(સાતે ય) અવકાશાન્તરોના સંબંધમાં જાણવું જોઈએ. જે રીતે રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં કહ્યું, તે જ રીતે નીચે સાતમી પૃથ્વી સુધી જાણવું જોઈએ તથા જંબુદ્રીપ આદિ દ્વીપ, લવણ સમુદ્ર આદિ સમુદ્ર, સૌધર્મ કલ્પથી લઈને ઈષ્ટત્ પ્રાક્ભારા પૃથ્વી, આ સર્વ સ્થાનો ધર્માસ્તિકાયના અસંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે. શેષ ભાગોની સ્પર્શનાનો નિષેધ કરવો જોઈએ. જે રીતે ધર્માસ્તિકાયની સ્પર્શના કહી છે, તે જ રીતે અધર્માસ્તિકાય અને લોકાકાશાસ્તિકાયની સ્પર્શનાના વિષયમાં પણ કહેવું જોઈએ. ગાથાર્થ– પૃથ્વી, ઘનોદધિ, ઘનવાત, તનુવાત, કલ્પ, ત્રૈવેયક, અનુત્તર, સિદ્ધિ [ઈષત્ પ્રાક્ભારા પૃથ્વી તથા સાત અવકાશાન્તર. આમાંથી અવકાશાન્તર ધર્માસ્તિકાયના સંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે અને શેષ સર્વ સ્થાનો ધર્માસ્તિકાયના અસંખ્યાતમા ભાગનો સ્પર્શ કરે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની સ્પર્શના લોકના વિવિધ ભાગોમાં કેટલા પ્રમાણમાં –
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy