SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શતક—૧ઃ ઉદ્દેશક ૩ ક્રિયા તે કર્મ છે. બલ– શારીરિક સામર્થ્ય બલ છે. વીર્ય– જીવના ઉત્સાહ અથવા જીવથી ઉત્પન્ન થતી શક્તિને વીર્ય કહે છે. વીર્ય બે પ્રકારનું છે. સકરણવીર્ય અને અકરણવીર્ય. ૯૧ સકરણવીર્ય :– લેશ્યા યુક્ત તથા મન, વચન, કાયારૂપ યોગવાળા જીવનો પરિસ્પંદાત્મક- (ચેષ્ટા યુક્ત) જે વ્યાપાર તે સકરણવીર્ય છે. અકરણવીર્ય :– લેશ્યા રહિત સર્વજ્ઞ અયોગી કેવળી ભગવાનનો જે અપરિસ્પંદાત્મક, અસ્ખલિત, આત્મ પરિણામ તે અકરણવીર્ય છે. પ્રસ્તુતમાં શરીરનું જનક અકરણવીર્ય નથી પરંતુ સકરણવીર્ય જ છે. પુરુષાકાર પરાક્રમ – પુરુષત્વનું જે અભિમાન તે પુરુષાકાર અને ઈષ્ટફલ સાધક પુરુષાર્થ તે પરાક્રમ છે અથવા પુરુષના પ્રયત્નને પુરુષાકાર અને શત્રુને પરાજિત કરવા તે પરાક્રમ છે. કાંક્ષામોહનીયની ઉદીરણા, ઉપશમ આદિ : १३ से णूणं भंते ! अप्पणा चेव उदीरेइ, अप्पणा चेव गरहइ, अप्पणा चेव संवरइ ? हंता गोयमा ! अप्पणा चेव उदीरेइ, एवं तं चेव उच्चारेयव्वं । ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! શું જીવ સ્વયં તેની[કાંક્ષા મોહનીય કર્મની] ઉદીરણા કરે છે ? સ્વયં તેની ગર્યા કરે છે ? સ્વયં તેનો સંવર કરે છે ? ઉત્તર– હા, ગૌતમ ! જીવ સ્વયં તેની ઉદીરણા, ગર્હ અને સંવર કરે છે. १४ जं णं तं भंते ! अप्पणा चेव उदीरेइ, अप्पणा चेव गरहइ, अप्पणा चेव संवरेइ तं किं उदिण्णं उदीरेइ, अणुदिण्णं उदीरेइ, अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ, उदयाणंतरपच्छाकडं कम्मं उदीरेइ ? गोयमा ! णो उदिण्णं उदीरेइ, णो अणुदिण्णं उदीरेइ, अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ, जो उदयानंतर पच्छाकडं कम्मं उदीरेइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જીવ સ્વયં તેની ઉદીરણા કરે છે, ગર્હ કરે છે અને સંવર કરે છે તો શું ઉદીર્ણ[ઉદયમાં આવેલા]ની ઉદીરણા કરે છે ? અનુદીર્ણ [ઉદયમાં નહિ આવેલા]ની ઉદીરણા કરે છે ? કે અનુદીર્ણ–ઉદીરણા ભવિક [ઉદયમાં નહિ આવેલા પરંતુ ઉદીરણાને યોગ્ય] કર્મની ઉદીરણા કરે છે ? અથવા ઉદયાન્તર પશ્ચાતકૃત કર્મની ઉદીરણા કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! ઉદીર્ણની ઉદીરણા કરતા નથી. અનુદીર્ણની ઉદીરણા કરતા નથી. ઉદયાન્તર પશ્ચાતકૃત કર્મની પણ ઉદીરણા કરતા નથી પરંતુ અનુદીર્ણ–ઉદીરણા ભવિક કર્મની ઉદીરણા કરે છે.
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy