SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ | સ્થાન–૪: ઉદ્દેશક-૪ [ ૫૪૭ ] ભાવાર્થ :- વાદ્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) તત- તાર યુક્ત, આંગળીઓથી વગાડાય તે વીણા આદિ વાધ (૨) વિતત- ચામડાથી મઢેલ, હાથાદિની થપાટ મારીને વગાડાય તે ઢોલ આદિ (૩) ઘન- કાંસાની ધાતુથી નિર્મિત ઝાલર, ઘંટ, વગેરે વાધ (૪) શુષિર-વાયુ અને આંગળીથી વગાડાય તે વાંસળી, હારમોનિયમ વગેરે વાધ. ११८ चउव्विहे णट्टे पण्णत्ते, तं जहा- अंचिए, रिभिए, आरभडे भसोले । ભાવાર્થ :- નૃત્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અંચિત નાટય-રોકાઈ રોકાઈને મંદ મંદ નાચવું (૨) રિભિત નાટય- સંગીત સાથે નૃત્ય કરવું (૩) આરભટ નાટય- ગાતાં ગાતાં નૃત્ય કરવું (૪) ભષોલ નાટ્ય- વિવિધ ચેષ્ટા અને ભાવભંગિમાઓ પ્રદર્શિત કરતાં નૃત્ય કરવું. ११९ चउव्विहे गेए पण्णत्ते, तं जहा- उक्खित्तए, पत्तए, मंदए, रोविंदए । ભાવાર્થ :- ગીત (ગેય) ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઉન્સિપ્તક ગેય-નૃત્ય કરતાં ગાવું અથવા આરંભમાં મધુર ગાવું. (૨) પત્રક ગેય- પદ્ય છંદોને ગાવા, ઉત્તમ સ્વરથી ગાવું, ગીતના મધ્યમાં ઊંચો સ્વર લઈને ગાવું. (૩) મંદ ગેય- મંદ મંદ સ્વરથી ગાવું, ગીતનો સ્વર નીચો લઈને ગાવું. (૪) રોવિન્દક ગેય- ધીમા સ્વરને તેજ કરીને ગાવું અથવા ધીમે ધીમે ગાતા ગીત પૂર્ણ કરવું. १२० चउव्विहे अभिणए पण्णत्ते, तं जहा- दिलृतिए, पाडिसुए, सामण्णओविणिवाइयं, लोगमज्झावसिए । ભાવાર્થ :- અભિનય નાટક ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) દ્રાષ્ટાન્તિક- કોઈ ઘટના વિશેષનો અભિનય કરવો. બાહ્ય શરીરની ચેષ્ટાઓથી અભિનય કરવો (૨) પ્રાતિશ્રુત- રામાયણ, મહાભારતાદિનો અભિનય કરવો, તેને તથા વાણીના અભિનયને પ્રાતિશ્રત કહે છે (૩) સામાન્યતો વિનિપાતિક–રાજા મંત્રી આદિનો અભિનય કરવો, તે સામાન્યતો વિનિપાતિક અથવા સામન્તોપનિપાતિક કહેવાય છે (૪) લોક મધ્યાવસિત- માનવ જીવનની વિભિન્ન અવસ્થાઓનો અભિનય કરવો. દેશકાલને અનુરૂપ વેશભૂષાનો અભિનય કરવો. १२१ चउव्विहे मल्ले पण्णत्ते, तं जहा- गंथिमे, वेढिमे, पुरिमे, संघाइमे । ભાવાર્થ :- માલા-પુષ્પની રચના ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ગ્રન્થિમ- સણ, દર્ભ કે સુતરના તારમાં ફૂલોને પરોવી, ગૂંથીને માળા વગેરે જે બનાવાય તે ગ્રંથિમ કહેવાય. (૨) વેષ્ટિમચારે બાજુ ફૂલ વીંટીને મુકુટ વગેરે જે બનાવાય તે વેષ્ટિમ કહેવાય. (૩) પૂરિમ- પૂરિમ એટલે પૂરવું–ભરવું. માટીના વાસણ કે વાંસની ટોપલી વગેરેમાં અનેક છિદ્રો હોય તે છિદ્રોને ફૂલથી ભરી દેવામાં આવ્યા હોય, તેને પૂરિમ કહેવાય છે. (૪) સંઘાતિમ- અનેક પુષ્પના સમૂહથી બનેલા પુષ્પોના ઉપકરણોને અથવા ફુલોની કાંડી(નાલ)થી બીજી નાલ સાથે ગૂંથીને પુષ્પના ગુચ્છા વગેરે બનાવાય તે સંઘતિમ કહેવાય.
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy