SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवक्कम्मा रुक्खजोणिएसु रुक्खेसु मूलत्ताए कंदत्ताए खंधत्ताए तयत्ताए सालत्ताए पवालत्ताए पत्तत्ताए पुप्फत्ताए फलत्ताए बीयत्ताए विउट्टंति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहारैति, ते जीवा आहारैति पुढविसरीरं आउसरीरं तेउसरीरं वाउसरीरं वणस्सइसरीरं, णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति, परिविद्धत्थं तं सरीरगं जाव सारूवियकडं संतं सव्वप्पणत्ताए आहारं आहारैति । अवरे वि य णं तेसिं रुक्खजोणियाणं मूलाणं कंदाणं खंधाणं तयाणं सालाणं पवालाणं जाव बीयाणं सरीरा णाणावण्णा णाणागंधा जाव णाणाविहसरीरपोग्गलविउव्विया, ते जीवा कम्मोववण्णगा भवतीति मक्खायं । ભાવાર્થ :- શ્રી તીર્થંકરદેવે કહ્યું છે કે કોઈ સત્ત્વ-વનસ્પતિકાયિક જીવો વૃક્ષયોનિક હોય છે, તેઓ વૃક્ષમાં જ ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં જ સ્થિત રહે છે, વૃક્ષમાં જ સંવર્ધિત થતાં રહે છે. તે વૃક્ષયોનિક જીવ વૃક્ષમાં ઉત્પન્ન, સ્થિત અને સંવૃદ્ધ થઈને કર્મોને આધીન થઈને, કર્મના ઉદયથી ત્યાં જ વૃદ્ધિ પામીને વૃક્ષયોનિક વૃક્ષોમાં મૂળ, કંદ, સ્કંધ, ત્વચા(છાલ), શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજના રૂપમાં ઉત્પન્ન થાય છે. તે જીવ તે વૃક્ષયોનિક વૃક્ષોની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવ પૃથ્વી, જળ, તેઉ, વાયુ અને વનસ્પતિ શરીરનો આહાર કરે છે. તે જીવ વિવિધ પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોના(સચેત શરીરમાંથી રસ ખેંચી તેના) શરીરને અચેત કરે છે, તે શરીરોનો નાશ(ખંડ-ખંડ) કરે છે. પૂર્વે ગ્રહણ કરેલા અને ત્વચા દ્વારા ગ્રહણ થતાં આહારને પૂર્ણપણે પરિણત કરે છે, ત્યાર પછી તે પરિણત આહારને સર્વાત્મના ગ્રહણ કરે છે અર્થાત્ પોતાના શરીર રૂપે પરિણત કરે છે. તે વૃક્ષયોનિક મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજરૂપ જીવોનાં બીજા પણ શરીરો હોય છે, તે વિવિધ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા તથા વિવિધ પ્રકારના સંસ્થાનથી સંસ્થિત હોય છે. તે વિવિધ પ્રકારના પુદ્ગલોથી બનેલા હોય છે. આ જીવો કર્મોદયવશ ત્યાં ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે શ્રી તીર્થંકરદેવે કહ્યું છે. વિવેચનઃ ૧૦૨ પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીયોનિક(પૃથ્વી રૂપ ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન) વૃક્ષોના આહારનું કથન છે. કોઈ પણ વનસ્પતિ પોતાની યોગ્યતા પ્રમાણે તથાપ્રકારના બીજમાંથી, અનુકૂળ ક્ષેત્ર, કાળ, પાણી, માટી આદિનો સંયોગ પામીને ઉત્પન્ન થાય છે. મહાવીË :- યથાબીજ. જે બીજમાંથી જેવા પ્રકારની વનસ્પતિને ઉત્પન્ન થવાની યોગ્યતા હોય, તે બીજમાંથી તે જ વનસ્પતિ ઉત્પન્ન થાય છે. જેમ કે– આંબાની ગોઠલીમાંથી આમ્રવૃક્ષ ઉત્પન્ન થાય છે, વડના બીજમાંથી વટવૃક્ષ ઉત્પન્ન થાય છે. અહાવાલેળ :- યથાવકાશ. જે વનસ્પતિને જે ક્ષેત્ર, કાળ, જલ, હવા આદિ બાહ્ય સંયોગોની આવશ્યકતા હોય, તે-તે સંયોગોને પ્રાપ્ત કરીને જ તે વનસ્પતિ વિકાસ પામે છે. મ્મોવા, મળિયાનેળ :- કર્મને વશ થઈને, કર્મના ઉદયથી. વનસ્પતિકાયિક આદિ વિવિધ પ્રકારના જીવોની ઉત્પત્તિ માટે ક્ષેત્ર, કાલ આદિ બાહ્ય નિમિત્ત છે અને તે જીવના તથાપ્રકારના કર્મો, તેનું અંતરંગ કારણ છે. કોઈ પણ જીવ પોતાના પૂર્વકૃત કર્મોને વશ થઈને, કર્મરૂપ નિદાનથી આકર્ષિત થઈને Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy