SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ | શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ३५ से एगइओ परिसामज्झाओ उद्वित्ता अहमेयं हणामि त्ति कटु तित्तिर वा वट्टगं वा लावगं कवोयगं वा कविं वा कविंजल वा अण्णयर वा तसं पाणं हता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ વ્યક્તિ સભામાં ઊભા થઈને- “હું આ પ્રાણીને મારીશ” તેવી પ્રતિજ્ઞા કરીને ત્યાર પછી તે વ્યક્તિ તેતર, બતક, લાવક, કબૂતર, વાનર, કપિંજલ કે અન્ય કોઈ ત્રસજીવોને મારે, છેદન-ભેદન, તાડન કરે કે તેને પ્રાણરહિત કરી નાંખે છે. તે મહાપાપી જીવ દૂર કર્મોથી જગતમાં પોતાની જાતને મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ३६ से एगइओ केणइ आदाणेणं विरुद्ध समाणे अदुवा खलदाणेणं, अदुवा सुराथालएणं, गाहावईण वा गाहावइपुत्ताण वा सयमेव अगणिकाएणं सस्साइं झामेइ, अण्णेण वि अगणिकाएणं सस्साइं झामावेइ, अगणिकाएणं सस्साइं झामतं पि अण्णं समणुजाणइ, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । શબ્દાર્થ-સડેલુંગળેલું અન્ન આપવાથી કુરીથાન = સુરાપાન કરાવવાથી Tછવફા = ગાથાપતિને ગણાવપુરાણ = ગાથાપતિ પુત્રોને સારું = શસ્ય-ધાન્યાદિ આદિને મેટ્ટ = બાળે છે. ભાવાર્થ :- કોઈ પ્રકૃતિથી ક્રોધી પુરુષ કોઈ પણ પ્રયોજનથી કુદ્ધ થઈને અથવા સડેલાં અન્ન આદિ આપવાથી કે મદિરાપાન કરાવવાથી, વગેરે કારણોથી રુષ્ટ થઈને) ગૃહપતિ કે ગૃહપતિના પુત્રોના ખળામાં રાખેલ શાળ, ડાંગર, જવ, ઘઉં આદિ ધાન્યને પોતે આગ લગાડીને બાળી નાંખે છે, બીજા પાસે આગ લગાવરાવીને બનાવી નાંખે છે, ધાન્યને બાળનારાની અનુમોદના કરે છે. આ રીતે તે મહાપાપી જીવ મહાપાપકર્મોથી જગતમાં પોતાની જાતને મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. |३७ से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे अदुवा खलदाणेणं अदुवा सुराथालएणं, गाहावईण वा गाहावइपुत्ताण वा उट्टाणं वा गोणाणं वा घोडगाणं वा गद्दभाणं वा सयमेव घूराओ कप्पेइ, अण्णेण वि कप्पावेइ, कप्पंत पि अण्णं समणुजाणइ, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । શબ્દાર્થ - ૩ri = ઊંટને ગોગા= ગાયને ઘોડા ઘોડાનેરામાં = ગઘેડાઓને પૂરતોઅવયવોને ખેફ = કાપે છે. ભાવાર્થ :- કોઈ પ્રકૃતિથી ક્રોધી પુરુષ કોઈ પણ પ્રયોજનથી ક્રુદ્ધ થઈને અથવા સડેલાં અન્ન આદિ આપવાથી કે મદિરાપાન કરાવવાથી,(વગેરે કારણોથી રુષ્ટ થઈને) તે ગૃહસ્થ અથવા તેના પુત્રોના ઊંટ, ગાય, બળદ, ઘોડા, ગધેડા વગેરે પશુઓના જાંઘ વગેરે અંગોને કુહાડીથી કાપી નાખે છે, બીજા દ્વારા તેના અંગોપાંગ કપાવે છે, અંગોપાંગ કાપનારાની અનુમોદના કરે છે. આ રીતે તે મહાપાપી જીવ મહાપાપકર્મોથી જગતમાં પોતાની જાતને મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. |३८ से एगइओ केणइ आदाणेणं विरुद्ध समाणे, अदुवा खलदाणेणं, अदुवा सुरा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy