SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ | શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) | અદત્ત ગ્રહણ કરનાર અન્ય વ્યક્તિનું અનુમોદન કરે, તો તે વ્યક્તિને અદત્તાદાન નિમિત્તે પાપ કર્મોનો બંધ થાય છે. આ સાતમું અદત્તાદાનપ્રત્યયિક ક્રિયાસ્થાન છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અદત્તાદાન પ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. अदिण्णादाणवत्तिए:-अदत्तस्य परकीयस्याऽऽदानं-स्वीकरणमदत्तादानं-स्तेयं तत्प्रत्ययिको दण्डः। વસ્તના માલિક કે અધિકારીને પૂછયા વિના, તેઓએ આપી ન હોય, તેમની અનુમતિ, સહમતિ કે ઇચ્છા વિના તેમની કોઈ વસ્તુને ગ્રહણ કરવી, તેના પર પોતાનો અધિકાર જમાવવો, તે વસ્તુ પડાવી લેવી, તે અદત્તાદાન, સ્તન અથવા ચોરી છે. ચોરીના નિમિત્તે થતાં કર્મબંધને અદત્તાદાન પ્રત્યયિક ક્રિયાસ્થાન કહે છે. આઠમું ક્રિયાસ્થાન : અધ્યાત્મ પ્રત્યયિક :|१३ अहावरे अट्ठमे किरियाठाणे अज्झथिए त्ति आहिज्जइ । जहाणामए केइ पुरिसे, से णत्थि णं केइ किंचि विसंवादेइ, सयमेव हीणे दीणे दुढे दुम्मणे ओहयमणसंकप्पे चिंतासोगसागरसंपविढे करयलपल्हत्थमुहे अट्टज्झाणोवगए भूमिगयदिट्ठीए झियाइ, तस्स णं अज्झत्थिया असंसइया चत्तारि ठाणा एवमाहिज्जति, तं जहा- कोहे माणे माया लोभे, अज्झत्थमेव कोह-माण-माया-लोहा, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । अट्ठमे किरियाठाणे अज्झथिए त्ति आहिए । શબ્દાર્થ:- અસ્થિu = અધ્યાત્મપ્રત્યયિક–અંતઃકરણમાં ઉત્પન્ન થયેલા ક્રોધાદિ ભાવો વિસંવાહક કલેશ દેનારાકુળ = દુર્મનસ્ક, દુષ્ટમનવાળા દયનસંખે = મનમાં ખરાબ સંકલ્પ કરનારધિનાનોસારસંવિદ્ = ચિંતા અને શોકના સાગરમાં ડૂબેલો રયેત્તપન્દસ્થમુદ્દે = લમણે હાથ રાખીને અદૃાાળોવાણ = આર્તધ્યાન કરતો ભૂમિકાર્દીિ = ભૂમિ પર દષ્ટિ રાખીને મસા = નિઃસંદેહ, ભાવાર્થ:- ત્યાર પછી આઠમું અધ્યાત્મપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કોઈ પુરુષ વિસંવાદના બાહ્ય કોઈ પણ કારણ વિના જ સ્વયં હીન, દીન, દુઃખિત, દુર્મનસ્ક, ઉદાસ થઈને મનમાં ખરાબ સંકલ્પ કરે, ચિંતા અને શોકના સાગરમાં ડૂબેલો રહે અને લમણે હાથ દઈને (ઉદાસીન મુદ્રાથી) પૃથ્વીપર દષ્ટિ રાખીને આર્તધ્યાન કરે ત્યારે નિઃસંદેહ તેના હૃદયમાં સંચિત ચાર કારણો હોય છે– ક્રોધ, માન, માયા, અને લોભ. વસ્તુતઃ ક્રોધ, માન, માયા અને લોભ આધ્યાત્મિક ભાવો છે. તે અધ્યાત્મભાવના નિમિત્તે જીવ પાપકર્મોનો બંધ કરે છે. આ આઠમું અધ્યાત્મપ્રત્યયિક ક્રિયાસ્થાન છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અધ્યાત્મપ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ સમજાવ્યું છે. અત્યિા - આત્મચંદ્ઘધ્યાત્મ તત્ર મવ આધ્યાત્મિજો !? | અંતઃકરણમાં પ્રગટ થતાં મલિન ભાવોથી જે પાપપ્રવૃત્તિ થાય, તે અધ્યાત્મ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે, ક્યારેક બાહા કોઈ પણ નિમિત્ત વિના વ્યક્તિ ઉદાસ કે ચિંતિત બની જાય છે. ક્રોધાદિ ભાવો તેના અંતરમાં પ્રગટે છે. તે મલિન ભાવોના નિમિત્તે જીવ પાપ કર્મનો બંધ કરે છે, તે અધ્યાત્મ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy