SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) ५६ से भिक्खू अकिरिए अलूसए अकोहे अमाणे अमाए अलोभे उवसंते परिणिव्वुडे । जो आसंसं पुरओ करेज्जा- इमेण मे दिट्ठेण वा सुएण वा मुएण वा विण्णाएण वा इमेण वा सुचरिय तव-नियम-बंभचेरवासेणं इमेण वा जायामायावुत्तिए णं धम्मेणं इओ चुए पेच्चा देवे सिया कामभोगाण वसवत्ती, सिद्धे वा अदुक्खमसुभे, एत्थ वि सिया, एत्थ वि णो सिया । ३८ શબ્દાર્થ :- અનૂસણ્ = અહિંસક સુયિ તવળિયમવંમત્તેરવાસેળ = સુચરિત-સારી રીતે આચરિત તપ, નિયમ, બ્રહ્મચર્ય વાસ દ્વારા પાયામાયાવૃત્તિ = સંયમયાત્રા માત્રાની વૃત્તિને માટે ામમો= કામભોગોને વસવત્તી = વશવર્તી. ભાવાર્થ:- તે ભિક્ષુ સાવધક્રિયાઓથી રહિત, જીવોની હિંસા રહિત, ક્રોધ રહિત, માન રહિત, માયા–કપટ રહિત, લોભ રહિત, શાંત અને સમાધિયુક્ત થઈને રહે. તે ભિક્ષુ ભવિષ્ય માટે કોઈ પણ આકાંક્ષા ન કરે. જેમ કે— મેં જે કાંઈ જ્ઞાન દ્વારા જોયું છે, સાંભળ્યું છે, મનન કર્યું છે, વિશેષ પ્રકારે જાણ્યું છે તથા જે આ તપ, નિયમ, બ્રહ્મચર્ય આદિ ચારિત્રનું સમ્યક આચરણ કર્યું છે, તેમજ મોક્ષયાત્રાના સાધનરૂપ ધર્મનું પાલન કર્યું છે; આ બધાં સત્કાર્યોનાં ફળસ્વરૂપે અહીંથી મરીને પરલોકમાં સમસ્ત કામ-ભોગનો સ્વામી દેવ થાઉં અથવા હું બધાં દુઃખો તથા અશુભકર્મોથી રહિત બનું, આ પ્રકારે આશંસા ન કરે કારણ કે આ રીતે આકાંક્ષા રાખવા છતાં ક્યારેક ઇચ્છાપૂર્તિ થાય છે અને ક્યારેક થતી નથી, તેથી સાધુ કોઈ પણ પ્રકારની આકાંક્ષા ન કરે. |५७ से भिक्खू सद्देहिं अमुच्छिए, रूवेहिं अमुच्छिए, गंधेहिं अमुच्छिए, रसेहिं अमुच्छिए, फासेहिं अमुच्छिए, विरए कोहाओ माणाओ मायाओ लोभाओ पेज्जाओ दोसाओ कलहाओ अब्भक्खाणाओ पेसुण्णाओ परपरिवायाओ अरइरईओ मायामोसाओ मिच्छादंसणसल्लाओ, इति से महया आयाणाओ उवसंते उवट्ठिए पडिविरए । = શબ્દાર્થ :- વસંતે = ઉપશાંત વનાિદ્ = સંયમમાં ઉપસ્થિત દિવિદ્ = પ્રતિ વિરત-પાપથી નિવૃત. ભાવાર્થ :- જે ભિક્ષુ મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ તેમજ કોમળ સ્પર્શમાં અનાસક્ત રહે છે તથા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન(દોષારોપણ), પૈશુન્ય, પરનિંદા, સંયમમાં અતિ અને અસંયમમાં રતિ, માયામૃષા–કપટસહિત અસત્ય અને મિથ્યાદર્શન રૂપ શલ્યથી વિરત રહે છે; તે ભિક્ષુ ઘણા કર્મબંધનથી મુક્ત થાય છે, તે સુસંયમમાં ઉદ્યત થાય છે તથા પાપોથી નિવૃત્ત થાય છે. ५८ से भिक्खू जे इमे तस थावरा पाणा भवंति ते णो सयं समारंभइ, जेव अण्णेहिं समारंभावेइ, अण्णे समारभंते वि ण समणुजाण, इति से महया आयाणाओ उवसंते उवट्ठिए पडिविरए । ભાવાર્થ :- જે ભિક્ષુ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં સમારંભ કરતા નથી, બીજા પાસે કરાવતા નથી અને સમારંભ કરનાર વ્યક્તિનું અનુમોદન કરતા નથી, તે સાધુ ઘણા કર્મબંધથી મુક્ત થાય છે, શુદ્ધ સંયમમાં ઉધમવંત થાય છે અને પાપ કર્મોથી વિરત થાય છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy