SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧૬] ૪૦૭ | અધ્યાત્મયોગથી જેનું ચારિત્ર આદાન શુદ્ધ હોય. જે સતુચારિત્ર પાલનમાં ઉધત–ઉપસ્થિત હોય, જે સ્થિતાત્મા સ્થિતપ્રજ્ઞ અથવા જેનો આત્મા પોતાના શુદ્ધભાવમાં સ્થિત છે અથવા મોક્ષમાર્ગમાં સ્થિરચિત્ત હોય તથા સંસારની અસારતા જાણીને જે પરદત્તભોજી–ગૃહસ્થ દ્વારા આપેલા આહારથી નિર્વાહ કરનાર હોય તે "ભિક્ષ" કહેવાય છે. વિવેચન : આ સૂત્રમાં ભિક્ષુના વિશિષ્ટ ગુણોનું નિરૂપણ કરતાં તેનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ભિક્ષુનો અર્થ અને સૂત્રોક્ત લક્ષણ - ભિક્ષુનો સામાન્ય અર્થ થાય છે ભિક્ષાજીવી પરંતુ ત્યાગી ભિક્ષુ અહર્નિશ તપસંયમમાં, સ્વાર કલ્યાણમાં અથવા રત્નત્રયરૂપ મોક્ષમાર્ગની સાધનાના પુરુષાર્થ માટે ભિક્ષા ગ્રહણ કરે છે. આ વિશિષ્ટ અર્થના પ્રકાશમાં જ્યારે આપણે આ સૂત્રમાં કહેલ ભિક્ષુનાવિશિષ્ટ ગુણાત્મક સ્વરૂપની સમીક્ષા કરીએ છીએ ત્યારે ભિક્ષુ માટે બતાવેલા બધા વિશિષ્ટગુણો યથાર્થ સિદ્ધ થાય છે. નિગ્રંથ ભિક્ષુનો એક વિશિષ્ટ ગુણ છે. "પર મોડું". આ ગુણનું રહસ્ય એ છે કે ભિક્ષુ અહિંસાની દષ્ટિએ સ્વયં ભોજન બનાવતા નથી, બીજા પાસે ભોજન કરાવતા નથી. અપરિગ્રહની દષ્ટિએ ભોજનનો સંગ્રહ કરતા નથી, પોતે ખરીદતા નથી, અન્ય પાસે ખરીદાવતા નથી અને ખરીદેલું લેતા નથી. એ રીતે અચૌર્યની દષ્ટિએ ગૃહસ્થને ત્યાં બનેલા ભોજનને પૂછયા વિના ઉઠાવીને લઈ લેતા નથી, છીનવીને કે ચોરીને અથવા લૂંટીને લેતાં નથી. તે નિરામિષ ભોજી(માંસાહાર નહિ કરનારા) ગૃહસ્થોને ત્યાં ગૃહસ્થ પોતાના માટે બનાવેલા આહારમાંથી ભિક્ષાના નિયમાનુસાર ગૃહસ્થ દ્વારા પ્રસન્નતાપૂર્વક આપેલ, થોડો, એષણીય, કલ્પનીય અને અચિત્ત પદાર્થ(આહાર) ગ્રહણ કરે છે. ભિક્ષુના બીજા ચાર વિશિષ્ટ ગુણો અહીં બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે :- [૧] અનુન્નત [] વિનીત [૩] નામક [૪] દાત્ત. કોઈ સાધક જ્યારે ભિક્ષાને પોતાનો અધિકાર અથવા આજીવિકાનું સાધન બનાવી લે છે, ત્યારે તેનામાં અભિમાન આવી જાય, તે ઉદ્ધત થઈને ગૃહસ્થો(અનુયાયીઓ) પર હુકમ કરે, ભિક્ષા ન આપે તો શ્રાપ અથવા અનિષ્ટ કરી નાખવાનો ભય બતાવે અથવા ભિક્ષા આપવા માટે દબાણ કરે અથવા ભોજન મેળવવા દીનતા-હીનતા, કરુણતા બતાવે અથવા ભિક્ષા ન મળવાથી પોતાની નમ્રતા છોડી ગામ, નગર અને તે ગૃહસ્થની નિંદા કરવા લાગે અથવા અપશબ્દોથી ધિક્કારવા લાગે અથવા પોતાની જીભ પર સંયમ રાખ્યા વિના સરસ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક વસ્તુની લાલસાના કારણે સુખી-સંપન્ન ઘરોમાં વારંવાર જાય, અંગારાદિ દોષોનું સેવન કરીને પોતાની જિતેન્દ્રિયતાને ખોઈ બેસે છે. તેથી ભિક્ષુએ અનુન્નત, વિનીત, નામક-નમ્ર અથવા સંયમમાં સમર્પિત અને દાન્ત હોવું પરમ આવશ્યક છે. આ ચાર ગુણો ભિક્ષાવિધિમાં તો લક્ષિત હોય જ છે, એ ઉપરાંત સાધકના જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy