SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) પણ દીક્ષા લઈ તે ઉચ્ચ ગોત્રનો મદ કરતા નથી, તે જ યથાતથ્ય ચારિત્રમાં પ્રવૃત્ત સુસાધુ છે અને તે જ સુસાધુની સુશીલતા છે. જ્ઞાનાદિ સાધનામાં તથ્ય-અતથ્ય ઃ ૩૬૮ | १२ શબ્દાર્થ :- ને મિલ્લૂ બિવિશ્વ ચળે – જે ભિક્ષુ નિષ્કિંચન છે, જે નિઃપરિગ્રહી સાધુ છે, સુતૂહનીવી = = णिक्किंचणे भिक्खू सुलूहजीवी, जे गारवं होइ सिलोगगामी । आजीवमेयं तु अबुज्झमाणे, पुणो पुणो विप्परियासुवेइ ॥ = – જે લૂખો–સૂકો આહાર ખાઈને જીવે છે, જે ગરવું સિલોનનામી હોય્ = તે જો અભિમાન કરે અને પોતાની પ્રશંસા ઈચ્છે, આનીવમેય તુ = તેના આ ગુણો તેની આજીવિકાનું સાધન બને છે, અનુપ્તમાળે અને તે અજ્ઞાનના કારણે પરમાર્થને ન જાણનારા તે. ભાવાર્થ :- જે ભિક્ષાજીવી સાધુ અકિંચન–અપરિગ્રહી હોય, લૂખો—સૂકો, આન્તપ્રાન્ત આહાર કરતા હોય, છતાં એ જો તે પોતાની ઋદ્ધિ, રસ અને શાતા(સુખ સામગ્રી)નું અભિમાન કરે, પોતાની પ્રશંસા તેમજ સ્તુતિની આકાંક્ષા રાખે, તો તેના આ અકિંચનતા, રૂક્ષજીવિતા અને ભિક્ષાજીવિતા આદિ ગુણો માત્ર તેની આજીવિકાના સાધન છે. પરમાર્થને ન જાણનારા તે અજ્ઞાની ફરી ફરીને વિપર્યાસ–જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક આદિ ઉપદ્રવોને પ્રાપ્ત થાય છે. | १३ जे भासवं भिक्खु सुसाहुवादी, पडिहाणवं होइ विसारए य । आगाढपण्णे सुविभाविअप्पा, अण्णं जणं पण्णया परिभवेज्जा ॥ શબ્દાર્થ :- માસવું સુસાધ્રુવા↑ = સારી રીતે ભાષાને જાણનાર અને મધુરભાષી છે, પડિહાળવ = સારી પ્રતિભાવાળા અને વિસારણ્ = વિશારદ એટલે કે ઘણા પ્રકારના અર્થ કહેવામાં સમર્થ છે, નિપુણ છે, આપણે = સાચા તત્ત્વમાં જેની બુદ્ધિ પ્રવેશેલી છે, સુવિભાવિઞપ્પા = ધર્મની ભાવનાથી જેનું હૃદય વાસિત છે તે જ સાધુ છે પરંતુ જે, મળ નળ પળયા મિવેખ્ખા = ગુણોનું અભિમાન રાખીને બીજાનો તિરસ્કાર કરે છે તે સાધુ નથી. Jain Education International ભાવાર્થ :- જે ભિક્ષુ ભાષાવિજ્ઞ છે, ભાષાના ગુણ દોષનો વિચાર કરીને બોલે છે તથા હિત, મિત, પ્રિય, ભાષણ કરે છે, ઔત્પાતિકી આદિ બુદ્ધિઓથી સંપન્ન છે અને શાસ્ત્ર પાઠોની સુંદર વ્યાખ્યા તેમજ અનેક અર્થ કરવામાં નિપુણ છે, સત્ય-તત્ત્વનિષ્ઠામાં જેની બુદ્ધિ ડૂબેલી છે, ધર્મભાવનાથી જેનું હૃદય સારી રીતે રંગાયેલું છે, તે જ સાચો સાધુ છે, પરંતુ આ ગુણોથી યુક્ત હોવા છતાં જે આ ગુણોના મદથી ગ્રસ્ત થઈને બીજાઓનો પોતાની બુદ્ધિથી તિરસ્કાર કરે છે તે સાધુ નથી.(તે ઉક્ત ગુણો પર પાણી ફેરવી દે છે) १४ एवं ण से होइ समाहिपत्ते, जे पण्णवं भिक्खु विउक्कसेज्जा । अहवा वि जे लाभमयावलित्ते, अण्णं जणं खिसइ बालपणे ॥ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy