SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૬] શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) ( દશમું અધ્યયન ] આ અધ્યયનનું ગુણનિષ્પન્ન નામ "સમાધિ" છે. સમાધિ શબ્દચિત્તની સ્વસ્થતા, સાત્ત્વિક સુખશાંતિ, સંતુષ્ટિ, મનોદુઃખનો અભાવ, આનંદ, પ્રમોદ, શુભધ્યાન, ચિત્તની એકાગ્રતારૂપ ધ્યાનાવસ્થા, સમતા, રાગાદિથી નિવૃત્તિ, આત્મ પ્રસન્નતા આદિ અર્થોમાં પ્રયુક્ત હોય છે. નિર્યુક્તિકારે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપથી છ પ્રકારે સમાધિનો નિક્ષેપ કર્યો છે. નામ સમાધિ અને સ્થાપના સમાધિ સુગમ છે. દ્રવ્યસમાધિ– તેના ચાર પ્રકાર છે. (૧) જે દ્રવ્યના ખાવાપીવાથી શાંતિ અને સંતોષ અનુભવાય (૨) મનોજ્ઞ શબ્દાદિ વિષયોની પ્રાપ્તિ થવાથી શ્રોત્ર આદિ ઈન્દ્રિયોની તૃપ્તિ થતી હોય તેમ લાગે તેવા દ્રવ્ય (૩) પરસ્પર વિરોધી બે અથવા અનેક દ્રવ્યોને મેળવવાથી સ્વાદની વૃદ્ધિ થતી હોય તેવા દ્રવ્ય (૪) ત્રાજવા પર જે વસ્તુને ચડાવવાથી બન્ને પલ્લાં સમાન હોય. ક્ષેત્રસમાધિ- જે ક્ષેત્રમાં રહેવાથી શાંતિ–સમાધિ પ્રાપ્ત થાય. કાળ સમાધિ- જે ઋતુ, માસ, અથવા કાળમાં શાંતિપ્રાપ્ત થાય. ભાવસમાધિ- ચિત્તની સ્વસ્થતા, શાંતિ, એકાગ્રતા, સમતા, સંતુષ્ટિ, પ્રસન્નતા આદિ અથવા જે જ્ઞાનાદિ ગુણો દ્વારા સમાધિનો લાભ થાય. આ અધ્યયનમાં ભાવસમાધિ(આત્મપ્રસન્નતા)ના સંબંધમાં પ્રકાશ પાડયો છે, ભાવસમાધિ જ્ઞાન, દર્શન, ચારિત્ર, કપરૂપ છે. દશવૈકાલિક સૂત્રમાં વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચાર સમાધિનો(દરેકના ચાર ચાર ભેદ સહિત) ઉલ્લેખ છે, તે પણ ભાવસમાધિની અંતર્ગત છે. દશાશ્રુતસ્કંધ અનુસાર વીસ અસમાધિ સ્થાનોથી દૂર રહેવું એ પણ ભાવસમાધિ છે. સમ્યકુચારિત્રમાં સ્થિત સાધક ચારે ય ભાવસમાધિમાં આત્માને સ્થાપિત કરે છે. આ અધ્યયનમાં શાસ્ત્રકારે શ્રમણને ચારિત્રસમાધિના ઉપાયોનું દર્શન કરાવ્યું છે. કોઈ પ્રકારનો સંચય ન કરવો; સમસ્ત પ્રાણીઓની સાથે આત્મવત્ વ્યવહાર કરવો; આરંભ આદિ પ્રવૃત્તિ સમયે હાથ–પગ અવયવને સંયત રાખવા; નિયાણું ન કરવું, હિંસા, ચોરી, અબ્રહ્મચર્ય આદિ પાપોથી દૂર રહેવું; અપ્રતિબદ્ધવિચરણ, આત્મવત્ પ્રેક્ષણ, એકત્વભાવના, ક્રોધાદિથી વિરતિ, સત્યરતિ, કામનારહિત તપશ્ચર્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy