SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ | શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) તપશ્ચર્યા દ્વારા પૂજા–પ્રતિષ્ઠાની ઈચ્છા ન કરે, શબ્દ, રૂપ વગેરે સમસ્ત કામભોગોમાં અનાસક્ત બની શુદ્ધ સંયમનું પાલન કરે. सव्वाइं संगाई अइच्च धीरे, सव्वाइं दुक्खाई तितिक्खमाणे । २८ | अखिले अगिद्धे अणिएयचारी, अभयंकरे भिक्खू अणाविलप्पा ॥ શબ્દાર્થ :- અફન્દ્ર = છોડીને, તિતિક્ષમ = સહન કરતો, વિ7 = જ્ઞાન, દર્શન અને ચારિત્રથી સંપૂર્ણ, અદ્ધિ = વિષયભોગમાં આસક્ત ન થતો, ળિયવારા = અપ્રતિબદ્ધવિહારી, મયંe = પ્રાણીઓને અભય આપનારા, અપવિતા = વિષય કષાયોથી દૂર થઈને અનાકુળ આત્મભાવવાળા થઈને સારી રીતે સંયમનું પાલન કરે છે. ભાવાર્થ :- ધીર સાધક સર્વ સંગથી પર થઈ, સર્વ પરીષહ–ઉપસર્ગજનિત શારીરિક માનસિક દુઃખોને સમભાવપૂર્વક સહન કરી, અખિલ-જ્ઞાન, દર્શન, ચારિત્રથી પૂર્ણ હોય, અમૃદ્ધ-વિષયભોગોમાં અનાસક્ત રહી, અનિયતચારી–અપ્રતિબદ્ધ વિહારી અને અભયંકર બનીને (જે સ્વયં ભયભીત ન થાય તથા બીજાને ભયભીત ન કરે) અને વિષય કષાયોથી અનાવિલ–કષાય રહિત થઈને સંયમનું પાલન કરે છે. __ भारस्स जाता मुणि भुंजएज्जा, कंखेज्ज पावस्स विवेग भिक्खू दुक्खेण पुढे धुयमाइएज्जा, संगामसीसे व परं दमेज्जा ॥ શબ્દાર્થ :- મુખ બારસ ના = સાધુ પાંચમહાવ્રત રૂપ સંયમયાત્રાના નિર્વાહ માટે, પાવર્સ વિવેકા ન = પાપને ત્યાગવાની ઈચ્છા કરે, સુખ કે પૂયમાફા = દુઃખને સહન કરતાં સંયમમાં ધ્યાન રાખે, સંમતી = પરં રજ્ઞા = યુદ્ધભૂમિમાં સુભટ પુરુષો જેવી રીતે શત્રુનું દમન કરે છે, તેવી રીતે સાધુ કર્મરૂપી શત્રુઓનું દમન કરે. ભાવાર્થ :- મુનિ પંચમહાવ્રતરૂપ સંયમ ભારના નિર્વાહ માટે આહાર કરે. સાધુ પોતાનાં પૂર્વકૃત પાપનો ત્યાગ કરવાની ઈચ્છા આકાંક્ષા કરે. પરીષહ ઉપસર્ગજનિત દુઃખનો સ્પેશ થાય ત્યારે ધુત એટલે સંયમ અથવા મોક્ષનું ધ્યાન કરે. જેવી રીતે યોદ્ધો સંગ્રામના મોરચા પર અડગ રહીને શત્રુયોદ્ધાનું દમન કરે છે, તેવી જ રીતે સાધુ પણ કર્મશત્રુઓની સાથે યુદ્ધમાં અડગ રહીને તેનું દમન કરે. - अवि हम्ममाणे फलगावतट्ठी, समागमं कंखइ अंतगस्स । | णिङ्ख्य कम्म ण पवंचुवेइ, अक्खक्खए वा सगडं ॥ ति बेमि ॥ શબ્દાર્થ :- વિ દુશ્મHT = સાધુ પરીષહ અને ઉપસર્ગો દ્વારા પીડા પામતો હોવા છતાં તેને સહન કરે, પIવઠ્ઠી = લાકડાના પાટિયાની જેમ શાંત થઈ સહન કરે, અંતરિક્ષ = અંતસમય-મૃત્યુના, સમામ = સમાગમ, પ્રાપ્તિની, વ = આકાંક્ષા કરે, નિપૂણ — = કર્મોનો ક્ષય કરી, જ પવન્યુ = જન્મ, મરણ, સંસારરૂપ પ્રપંચને પ્રાપ્ત કરતા નથી, અહીં વ = અક્ષ—ધરી તૂટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy