SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ | શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) શબ્દાર્થ – સુરં = સુખનો, છાત્તવ = ઈચ્છા માત્રથી (સરળતાથી) મળી જશે, સંબં યરમપુસરિત્તા = અંધ નેતાની પાછળ ચાલીને, પખાળ વેવ વિદિતિ = જલસ્તાન આદિ દ્વારા પ્રાણીઓની હિંસા કરે છે. ભાવાર્થ :- પાણી જો કર્મમળનું હરણ(નાશ) કરતું હોય, તો ઈચ્છા માત્રથી જ પ્રાણીઓને સુખ (મોક્ષ સુખ)પ્રાપ્ત થઈ શકે. ખરેખર, મંદબુદ્ધિ લોકો અજ્ઞાનમાં અંધ નેતાનું અનુસરણ કરીને જલસ્તાન આદિ ક્રિયાઓ દ્વારા પ્રાણીઓનો ઘાત કરે છે. पावाई कम्माई पकुव्वओ हि, सीओदगं तु जइ तं हरेज्जा । ૧૭) सिज्झिसु एगे दगसत्तघाती, मुसं वयंते जलसिद्धिमाहु ॥ શબ્દાર્થ - કફ તં - જો તે પાપને, જીગોવાં તુ ના ઠંડા પાણીનું સ્નાન જો દૂર કરી દે તો, ને સત્તાની િિા = પાણીના જીવોનો ઘાત કરનારા મછવા (માછીમારો) આદિને પણ મુક્તિનો લાભ મળી જાય, મુક્ષ વયેતે નાસિકાનાદુ = તેથી પાણીથી મુક્તિની પ્રાપ્તિ કહેનારનું આ કથન અસત્ય છે. ભાવાર્થ :- શીતલ પાણીનો સ્પર્શ કરવાથી જો પાપીના પાપનો નાશ થતો હોય તો જલજંતુઓના ઘાત માટે પાણીને સ્પર્શીને રહેનારા મછવા વગેરેનો પણ મોક્ષ થઈ જાય, પરંતુ તેમ થતું નથી. તેથી જેઓ પાણી(સ્નાન આદિ)થી સિદ્ધિ બતાવે છે, તેઓ મિથ્યાવાદી છે. हुतेण जे सिद्धिमुदाहरंति, सायं च पायं अगणिं फुसंता । एवं सिया सिद्धि हवेज्ज तम्हा, अगणिं फुसंताण कुकम्मिणं पि ॥ શબ્દાર્થ – ને જે લોકો, દુતેજ સિદ્ધિમુલદિત = હોમ(હવન) કરવાથી મુક્તિની પ્રાપ્તિ કહે છે, પર્વ સિયા સિદ્ધિ = જો અગ્નિના સ્પર્શથી કદાચ સિદ્ધિ મળતી હોય તો, ઉન પિ = લુહારાદિની પણ સિદ્ધિ થશે. ભાવાર્થ :- સંધ્યાકાળે અને પ્રાતઃકાળે અગ્નિનો સ્પર્શ કરનારા અગ્નિહોત્ર આદિ કર્મકાંડી અગ્નિમાં હોમ કરવાથી સિદ્ધિ બતાવે છે. તેઓ પણ મિથ્યાવાદી છે. જો આ રીતે (અગ્નિ સ્પર્શથી અથવા અગ્નિકાર્ય કરવાથી)સિદ્ધિ મળતી હોય તો અગ્નિનો સ્પર્શ કરનારા, કંદોઈ, રસોઈયા, લુહાર, સોની આદિ આરંભ કરનારાઓ, અગ્નિ પ્રજ્વલિત કરનારાઓને પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ જવી જોઈએ. __ अपरिक्ख दिलृ ण हु एव सिद्धी, एहिंति ते घायमबुज्झमाणा । भूएहिं जाण पडिलेह सायं, विज्जं गहाय तस थावरेहिं ॥ શબ્દાર્થ :- ગરવા ૬િ = જલાવગાહન અને અગ્નિહોત્ર આદિથી સિદ્ધિ માનનારા લોકોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy