SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૭ ૨૭૫ | ભૂથી જે હિંફ આવતા :- જે પોતાની સુખ સુવિધા માટે, પરલોકમાં સુખ મળશે, અથવા સ્વર્ગ કે મોક્ષનું સુખ મળશે તેવા હેતુથી અથવા ધર્મસંપ્રદાય, પરંપરા અથવા રીતરિવાજના પાલનથી સર્વ પ્રકારનું સુખ મળશે, આવી લાલસાથી અગ્નિ, જલ, વનસ્પતિ, પૃથ્વી આદિના જીવોની હિંસા કરે છે અથવા સ્વર્ગ પ્રાપ્તિની કામનાથી અગ્નિહોમ પંચાગ્નિ તપ કરે છે, ફળ ફૂલ આદિ વનસ્પતિકાયનું છેદન ભેદન કરે છે, તે કુશીલધર્મા છે. ૩Mાનો..સાથેના :- જે વ્યક્તિ આ લોક કે પરલોક સંબંધી કોઈ પણ પ્રયોજનથી અગ્નિ પ્રગટાવે ત્યારે અગ્નિકાયિક જીવોની હિંસા તો થાય જ છે. સાથે પૃથ્યાદિ જીવોની પણ ઘાત થાય છે. છાણાં, લાકડાં આદિમાં કેટલાક ત્રસ જીવ પણ હોય છે. તેઓ પણ અગ્નિ પ્રજ્વલિત કરતા મરી જાય છે. આગ બુઝાવવાથી અગ્નિકાય, બુઝાવવામાં પાણી, વાયુનો ઉપયોગ કરતા પાણી વગેરે અન્ય જીવોનો ઘાત થાય છે. આ રીતે અગ્નિ પ્રજ્વલિત કરવામાં અને બુઝાવવામાં અનેક જીવોની હિંસા થાય છે. આ કથન શાસ્ત્રકારે છટ્ટી અને સાતમી ગાથામાં કર્યું છે. વૃત્તિકારે ભગવતીસૂત્રનું પ્રમાણ રજૂ કરીને સિદ્ધ કર્યું છે કે ભલે વ્યક્તિ અગ્નિ પેટાવવામાં મહાકર્મ યુક્ત અને બુઝાવવામાં અલ્પકર્મયુક્ત હોય છે, પરંતુ બન્ને ક્રિયાઓમાં છકાયજીવોનો આરંભ સમારંભ થાય છે. હિંસાચરણનો કવિપાક : गब्भाइ मिज्जति बुयाऽबुयाणा, णरा परे पंचसिहा कुमारा । १० जुवाणगा मज्झिम थेरगा य, चयति ते आउक्खए पलीणा ॥ શબ્દાર્થ :- નામાભિનંતિ = લીલી વનસ્પતિનું છેદન કરનાર ગર્ભમાં જ મરી જાય છે, જુથSજુવાળા = કોઈ સ્પષ્ટ બોલવાની અવસ્થામાં અને કોઈ ન બોલવાની અવસ્થામાં જ મરી જાય છે, પર ખરા = બીજા પુરુષ, પંસહ જુમા = પાંચ શિખાવાળા કુમાર અવસ્થામાં જ મરી જાય છે, ગુવા મઝુમ વેર = કોઈ યુવાન થઈને તથા કોઈ પ્રૌઢ થઈ તેમજ કોઈ વૃદ્ધ થઈને મરી જાય છે, આ૩/gણ પલાળા તે વતિ = આ રીતે બીજ આદિનો નાશ કરનારા પ્રાણી બધીજ અવસ્થાઓમાં આયુષ્યક્ષય થવાથી પોતાના શરીરને છોડી દે છે. ભાવાર્થ :- દેવ-દેવીની અર્ચા અથવા ધર્મના નામે અથવા સુખ–વૃદ્ધિ આદિ કોઈ પણ કારણે લીલી વનસ્પતિનું છેદનભેદન કરનાર કેટલાક મનુષ્ય ગર્ભમાં જ મરી જાય છે, કેટલાક સ્પષ્ટ બોલવા સુધીની વયમાં અને કેટલાક અસ્પષ્ટ બોલવા સુધીની ઉંમરમાં જ મરી જાય છે. કેટલાક પંચશિખાવાળા કુમાર અવસ્થામાં મૃત્યુને પ્રાપ્ત કરે છે, કેટલાક યુવાન થઈને તો કેટલાક મધ્યમ(પ્રૌઢ) વયના થઈને અથવા વૃદ્ધ થઈને ચાલ્યા જાય છે. આ રીતે બીજ આદિનો નાશ કરનારાં પ્રાણી (આ અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થામાં) આયુષ્ય ક્ષય થતાંજ શરીર છોડી દે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy