SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-પ/ઉદ્દેશક-૧ ૨૩૭ ] હોય છે. દૂર દૂર સુધી તેની દુર્ગધ ફેલાતી રહે છે. નરકમાં અત્યંત બીભત્સ, લોહી અને પરુની દુર્ગધયુક્ત, પુરુષ પ્રમાણથી વધુ ઊંડી, ઊંટના આકારવાળી કુંભી હોય છે. જે ચારે તરફ તીવ્ર આગથી બળતી રહે છે. રડતા-ચીસો પાડતા નારકોને તે કુંભીમાં નાખીને પકાવવામાં આવે છે. તે દુશ્મની..મિહિં :- નરક જેલની કાળકોટડીથી વધુ ભયંકર હોય છે, ત્યાં નારકીઓના ખાવા-પીવા માટે મળ મૂત્ર, લોહી, પરુ આદિ ધૃણાસ્પદ, કુરૂપ વસ્તુઓ મળે છે. એ પ્રકારની ધૃણાસ્પદ ચીજોનું ભક્ષણ કરતા તેમજ બીભત્સસ્થાનમાં રહેતાં નારકીના જીવો રીબાઈ રીબાઈને પોતાનું દીર્ઘ આયુષ્ય ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું, વધારેમાં વધારે ૩૩ સાગરોપમ સુધીનું પૂર્ણ કરે છે. તે મળ, મૂત્ર, લોહી, પરુ આદિમાં ભયંકર કીડા ઉત્પન્ન થાય છે. જે નારકીઓને રાત દિવસ કરડયા કરે છે. દુસહ સ્પર્શજન્ય તીવ્ર વેદના - નરકમાં સ્પર્શજન્ય દુઃખ તો ડગલેને પગલે છે. તે સ્પર્શ અત્યંત દુઃસહ દારુણ અને દુઃખદ હોય છે. શાસ્ત્રકારે કેટલીક ગાથાઓમાં નારકીને પાપકર્મોદયવશ પ્રાપ્ત થનારાં દુઃસહ સ્પર્શજન્ય દુઃખની ઝાંખી કરાવી છે. નરસિં..તત્વ નિરિયા :- ખેરના ધગધગતા અંગારાઓ જેવી તપ્ત નરકભૂમિ હોય છે. અહીં નરકભૂમિની તુલના આ લોકની બાદર અગ્નિ સાથે કરવામાં આવી છે. પરંતુ આ સરખામણી માત્ર સમજાવવા માટે છે. નરકનો તાપ તો આ લોકના તાપથી કેટલાય ગણો અધિક છે. આવી તપ્ત ભૂમિમાં તેઓને રહેવું પડે છે. નસિ ગુહાણ નાતો.... - ગુફાના આકારવાળી નરકભૂમિમાં ચારે તરફ અગ્નિ જ હોય છે. બિચારા નારકીઓ પાપકર્મના ઉદયવશ તેનાથી અજાણ હોય છે. તેઓને આ અગ્નિમય ભૂમિમાં ધકેલવામાં આવે છે. ઉષ્ણ સ્પર્શ યુક્ત તે સ્થાન સ્વભાવથી જ અત્યંત દુઃખદાયક હોય છે.નિમિષ માત્ર પણ તેઓને સુખ નથી. તહિં સતત્ત અ વયંતિ...તદ વિ તર્વતિ :- નારકીઓ દુઃસહ ઠંડીથી બચવા પ્રદીપ્ત અગ્નિની પાસે જાય છે પરંતુ તે અગ્નિ તો અત્યંત દાહક હોય છે. તેથી પહેલાં કરતાં પણ અધિક દુઃખ પ્રાપ્ત કરે છે. નરકપાલ તે તપ્ત નારકીઓને તેથી વધારે તાપ જુદી જુદી રીતે આપતા રહે છે. તથા સર્વ પુખ મૂઠ્ઠા, ડોવાયં અફ૬gધનં :- નારકીઓના આવાસ સ્થાનનો કોઈ પણ ખૂણો એવો નથી હોતો, જે ગરમ ન હોય. તેમાં નરકના જીવો સદાય સેકાતા રહે છે. પૂર્વના તીવ્ર કર્મોદયના કારણે આ દુઃખદસ્થાન નારકીઓને પ્રાપ્ત થાય છે. શાસ્ત્રકારે પ્રસ્તુત ગાથાઓમાં નારકોની ક્ષેત્રજન્ય ઉષ્ણ વેદનાનું કથન કર્યું છે. તે જ રીતે નીચેની નરકમાં અત્યંત તીવ્રતમ શીતવેદના હોય છે. ત્યાંના નારકો અસહ્ય શીતવેદનાથી સતત પીડિત રહે છે. સંક્ષેપમાં ત્યાંનું ક્ષેત્ર અત્યંત અનિષ્ટ, પ્રતિકૂળ અને દુઃખદાયક હોય છે. ન તે બુથ લેયરળી..g૨ શ્વ તિજોયા...ત્તિ હમણાં :- વૈતરણી નદી નરકની મુખ્ય અને વિશાળ નદી છે. તેમાં લોહી જેવું ખારું અને ગરમ પાણી વહેતું રહે છે. તેની જલધારા અસ્ત્રાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy