SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ર | શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) (૧૪) સાધુએ પોતાના બ્રહ્મચર્ય મહાવ્રતની સર્વ તરફથી સુરક્ષા કરવી જોઈએ. તેથી સ્ત્રી સતુ ચારિત્રશીલ હોય, શ્રાવિકા હોય, ધર્માત્મા તરીકે પ્રસિદ્ધ હોય, તોપણ તેની સાથે મર્યાદાપૂર્વકનો વ્યવહાર કરે. બ્રહ્મચર્યની રક્ષા માટે નવ વાડના પાલનમાં જરાપણ શિથિલતા ન બતાવે. તેમાં કોઈ સ્ત્રીનું અપમાન અથવા નિંદા કરવાની દષ્ટિ નથી, પરંતુ શીલભ્રષ્ટતાથી પોતાની રક્ષાની દષ્ટિ છે. તેથી ૨૪મી ગાથામાં શાસ્ત્રકાર સ્ત્રીસંગરૂપ અનર્થ (ઉપસર્ગ)થી બચવા માટે પ્રેરણા આપે છે- ગણ મન..તા સારે..વI (૧૫) જેવી રીતે લાખનો ઘડો, આગની પાસે રાખતાં જ પીગળી જાય છે, તેવી જ રીતે બ્રહ્મચારી પણ સ્ત્રીની સાથે નિવાસ કરવાથી સંયમભ્રષ્ટ થઈ જાય છે. સ્ત્રીના સ્મરણ માત્રથી બ્રહ્મચારીનો સંયમ નષ્ટ થઈ જાય છે. તેથી બ્રહ્મચારીને માટે સ્ત્રીસંસર્ગથી દૂર રહેવું તે જ હિતાવહ છે. શાસ્ત્રકાર ૨૬-૨૭ બે ગાથાઓ દ્વારા આ પ્રેરણા વ્યક્ત કરે છે– ૩ નહીં ૩વજો... (૧) પૂર્વોક્ત ગાથાઓમાં વર્ણવેલી કામુક તેમજ માયાવી સ્ત્રીઓ દ્વારા દેવામાં આવતા વિવિધ પ્રલોભનોને સાધુ ડુક્કરને ફસાવવામાટે નાખવામાં આવતા ચોખાના દાણા જેવા જ સમજે. સ્ત્રીસંસર્ગ સંબંધી જેટલા પણ આકર્ષણ કે પ્રલોભન છે, તે બધાથી મુમુક્ષુ સાધુ બચે, સતર્ક રહે, તેનો પગપેસારો પણ થવા ન દે. એકવાર મોહપાશમાં બદ્ધ થયા પછી તે બંધન તોડવું મુશ્કેલ છે. તેથી શાસ્ત્રકાર સાધુને પ્રેરણા આપે છે કે સાધક સ્ત્રીના વચન પર અને વિનંતી પર દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરે અને ઉક્ત પ્રલોભનોમાં લેપાય નહીં. આ પ્રેરણાને શાસ્ત્રકાર ૩૧મી ગાથા દ્વારા અભિવ્યક્ત કરે છે–ળીવારમેવ...પુળોમકે ! આ રીતે શાસ્ત્રકારે વિવિધ પ્રકારની પ્રેરણાઓ દ્વારા સાધકને બ્રહ્મચર્ય વ્રતમાં દઢ રહેવાનું કથન કર્યું છે. સાધક આ અધ્યયનમાં બતાવેલાં સ્ત્રીસંગરૂપ ઉપસર્ગના વિભિન્ન રૂપોથી સાવધાન થઈ જાય, અપ્રમત્ત થઈ શાસ્ત્રકાર દ્વારા આપેલી પ્રેરણાઓ અનુસાર સંયમનિષ્ઠ રહે તો તે અનેક પ્રકારની અવદશાઓથી બચી જાય છે. પરમ :- વૃત્તિકારે તેના બે અર્થ કર્યા છે. સાધુની નજીક આવીને અથવા શીલથી અલિત થવા યોગ્ય બનાવીને તેના પર(સાધુપર) સવાર થઈને. પરિમ પાઠાન્તર છે, જેનો અર્થ થાય છે–સાધુને ચારે તરફથી ઘેરીને અથવા તેના શીલ પર ચારે તરફથી આક્રમણ કરીને. ને અધ્યયન ૪/૧ સંપૂર્ણ LOGOGOGOGOGogogesgogogogoGOOGOGOVOG બીજે ઉદ્દેશક સ્ત્રીસંગથી ભ્રષ્ટ સાધકોની હાનિ : ओए सया ण रज्जेज्जा, भोगकामी पुणो विरज्जेज्जा । भोगे समणाणं सुणेह, जह भुंजंति भिक्खुणो एगे ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy