SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૩/ઉદ્દેશક-૩ _. [ ૧૭૩ ] એક તરફ ધર્મતીર્થ(સંઘ)ની અવહેલના થાય, બીજી બાજુ સાધુ સંસ્થા પ્રત્યે જનતામાં અશ્રદ્ધા વધે તથા મિથ્યાવાદને ઉત્તેજના મળે, આમ તેમાં બેવડી નુકશાની છે. સંઘમાં નવા મુમુક્ષુ સાધકોનો પ્રવેશ તથા સગૃહસ્થોનાં વ્રતો ગ્રહણ કરવામાં અટકાયત થવાની સંભાવના છે. તેથી શાસ્ત્રકારે આ ગાથા દ્વારા માર્ગદર્શન આપ્યું છે કે આવા સમયે સાધુ તટસ્થભાવપૂર્વક આક્ષેપ કરનારાઓને યોગ્ય પ્રત્યુતર આપે. આક્ષેપ નિવારણકત સાધુની યોગ્યતા :- શાસ્ત્રકારે આક્ષેપોનો પ્રત્યુત્તર આપવાના કથન સાથે આક્ષેપ નિવારક સાધુના વિશિષ્ટ ગુણોનું સ્પષ્ટીકરણ કર્યું છે. તે ગુણો ક્રમથી આ પ્રમાણે છે. (૧) સાધુ મોક્ષવિશારદ હોય, (૨) અપ્રતિજ્ઞ હોય (૩) હેય-ઉપાદેયનો સમ્યક્ જ્ઞાતા હોય, (૪) વિરોધીઓનો પ્રતિવાદ, ક્રોધ, દ્વેષ, વધ આદિથી ન કરતો હોય, (૫) આત્મ સમાધિથી યુક્ત હોય, (૬) અનેક ગુણોનો લાભ થતો હોય ત્યારે જ પ્રતિવાદ કરતો હોય, (૭) બીજા લોકો વિરોધી ન બની જાય, તે માટે સતત સાવધાન રહેતો હોય. આ ગુણોનું ક્રમશઃ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. (૨) મોકચ્છ વિસાર:- પ્રતિવાદકર્તા સાધુ સમ્યક્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પ્રરૂપણા કરવામાં કુશળ હોવા જોઈએ. જો તે સાધુ પોતે જ શિથિલાચારનો પોષક હોય તો તે આક્ષેપકોના આક્ષેપનું નિરાકરણ સારી રીતે કરી શકે નહીં અને પોતે કરેલા નિરાકરણનો સાધારણ જનતા પર અથવા આક્ષેપકો પર પ્રભાવ પડે નહીં. તેથી આક્ષેપ નિવારક સાધુએ મોક્ષમાર્ગની પ્રરૂપણામાં વિશારદ હોવું જરૂરી છે. (૨) મહિvખ :- (૧) જે કોઈપણ પ્રકારની, ખોટા અર્થ બતાવવાની પ્રતિજ્ઞાથી રહિત છે તે અપ્રતિજ્ઞા કહેવાય છે. પ્રતિવાદકર્તા સાધુને મારે મારી વાતની સિદ્ધિમાટે ખોટા અર્થનું પણ સમર્થન કરવું તેવો પ્રતિજ્ઞાવાન ન હોય. અસત્ય વાતોનો સમર્થક સાધુ આક્ષેપકો પ્રત્યે ન્યાયી તેમજ વિશ્વાસપાત્ર ન રહે. તે સ્વ–મોહ અને પર-દ્વેષમાં પડી વિરુદ્ધ વિચારોના પ્રવાહમાં તે વહેવા લાગશે. (૨) અપ્રતિજ્ઞ એટલે કે તેની જાણકારી સિદ્ધાંત વિરૂદ્ધ ન હોવી જોઈએ. સિદ્ધાંત વિરુદ્ધ જાણકારી વાળો સાધક સ્વયં પોતાના સિદ્ધાંતથી, આક્ષેપકોનું નિરાકરણ કરી નહીં શકે. (૩) પ્રતિવાદીઓ પ્રત્યે કોઈ પ્રકારની ખોટી પ્રતિજ્ઞા ન રાખે પરંતુ સત્ય તત્ત્વને સમજાવવાનું લક્ષ્ય રાખે. ૩) નાથ - પ્રતિવાદ કર્તા સાધક સ્વયં હેય-ઉપાદેયનો સમ્યક જ્ઞાતા હોવો જોઈએ, તો જ આક્ષેપકોને ઉપાદેય તત્ત્વને અનુરૂપ બોધ શિક્ષા આપી શકે તથા આક્ષેપકોની વાતોમાં હેય ઉપાદેય તત્વને વિશ્લેષણ કરી સમજાવી શકે. (૪) વાવોલપભૂખી...અોને સરખે નંતિ - પ્રતિપક્ષી વિવાદમાં ટકી ન શકવાના કારણે, હારની પ્રતિક્રિયા સ્વરૂપે અપશબ્દ, ગાળો, દંડા, મુક્કા કે શસ્ત્ર આદિ દ્વારા પ્રહાર કરવા લાગે તો તે કષાય કે મિથ્યાત્વને વશ છે તેમ જાણી તેની સાથે વાદ કર્તા સાધુ વિવાદમાં ઊંડા ઉતરે નહીં. આક્રમણ સામે પ્રત્યાક્રમણ અથવા આક્રોશ પ્રહાર આદિ હિંસક ઉપાયોનો આશરો ન લેવો જોઈએ. વિશ્વબંધુ સાધુએ તે સમયે તેમના પ્રત્યે ઉપેક્ષાભાવ રાખીને મૌન થઈ જવું તે શ્રેયસ્કર છે. વૃત્તિકારે કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy