SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ઠ | | શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) . આત્મસંવેદનરૂપ ઉપસર્ગ વિજયી : जे उ संगामकालम्मि, णाया सूरपुरंगमा । ण ते पिट्ठमुवेहिंति, किं परं मरणं सिया ॥ શબ્દાર્થ :-૩ = પરંતુ, ને જે પુરુષ, 7 = જગત્ પ્રસિદ્ધ, સૂરપુરાનાં - વીરોમાં અગ્રગણ્ય છે, તે તેઓ, સીમામ = યુદ્ધનો સમય આવવાપર, જે પિમુહિંતિ પછી હારાદિસ્થિતિ પર લેશ માત્ર ધ્યાન આપતા નથી. તેઓ સમજે છે કે, હિંદ પર કર લિયા ? = મરણ થી વધારે બીજું શું થઈ શકવાનું છે? ભાવાર્થ :- જે પુરુષ જગતુ પ્રસિદ્ધ તેમજ શુરવીરોમાં અગ્રગણ્ય છે, તેઓ યુદ્ધપછી શું થશે? તેની કલ્પના પણ કરતા નથી. તેઓ સમજે છે કે મરણથી વધીને બીજું શું થઈ શકશે? । एवं समुट्ठिए भिक्खू, वोसिज्जाऽगारबंधणं । आरंभ तिरियं कटु, अत्तत्ताए परिव्वए । શબ્દાર્થ :- અTIRવંથi = ગૃહબંધનને, સિક્કા = ત્યાગીને, આરબ = આરંભને, સિરિય છોડીને, અત્તત્તા= આત્મભાવની પ્રાપ્તિ માટે, મોક્ષ પ્રાપ્તિ માટે, પરિવ્રા= સંયમનું અનુષ્ઠાન કરે. ભાવાર્થ :- આ રીતે ગુહબંધનનો ત્યાગ કરી અને આરંભને ત્યાગી, સંયમપાલન માટે તત્પર બનેલા સાધક આત્મભાવની પ્રાપ્તિ માટે સંયમમાં પરાક્રમ કરે. વિવેચન : આ બન્ને ગાથાઓમાં સંગ્રામમાં સાચા વીર યોદ્ધાની ઉપમા આપીને આત્મસંવેદનરૂપ ઉપસર્ગ પર વિજય પ્રાપ્ત કરનાર સાધકનું સ્વરૂપ, લક્ષ્ય અને કર્તવ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ને ૩ સામ..સિયા :- જે પુરુષો સંસારમાં પ્રસિદ્ધ તથા વીરોમાં અગ્રગણ્ય છે, તેઓ યુદ્ધના અવસરે કાયરની જેમ આઘાપાછા થવાનું વિચારતા નથી કે યુદ્ધમાં હારી જશું કે મરાઈ જશું તો શું થશે? તેઓને યુદ્ધમાં પરાજિત થશું ત્યારે પલાયન થવાનો કે સંતાવવાનું ગુપ્ત સ્થાન શોધી રાખવાનો વિચાર પણ આવતો નથી, તેઓ યુદ્ધના સમયે મોરચા પર રહે છે. તેઓ સમજે છે કે આ યુદ્ધમાં વધારેમાં વધારે નુકશાન મૃત્યુથી વધીને બીજું શું હોઈ શકે? તે મૃત્યુ અમારી દષ્ટિએ હંમેશાં ટકી રહેનારી કીર્તિની અપેક્ષાએ અત્યંત તુચ્છ છે. પુર્વ સમુફિ...અત્તત્તા પરિવ્ર :- ઉપસર્ગવિજયી સંયમવીર, સાધકની મનોવૃત્તિ વિશ્વવિખ્યાત સુભટો જેવી જ હોય છે. તેનું તાત્પર્ય એ છે કે વિશ્વવિખ્યાત વીર સુભટોની જેમ પરાક્રમી સાધુ કષાયો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy