SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૦ | શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) પાટિયાથી, ફળ દ્વારા, સંવીતે = મારેલ, વાતે = અજ્ઞાની પુરુષ, મળી = ક્રોધિત થઈને ઘરેથી નીકળીને ભાગનારી, પત્થી = = સ્ત્રીની જેમ, બાધ = પોતાના સ્વજનવર્ગનું, સર = સ્મરણ કરે છે. ભાવાર્થ :- અનાર્યદેશની સીમા પર વિચરણ કરનાર સાધુને દંડાથી, મુક્કાથી અથવા ભાલા આદિથી મારવામાં આવે છે, ત્યારે તે નવદીક્ષિત, અજ્ઞાની સાધક ક્રોધિત થઈને ઘરેથી ભાગી જનારી સ્ત્રીની જેમ પોતાના ભાઈ–ભાંડુઓને યાદ કરે છે. વિવેચન : આ ત્રણ ગાથાઓમાં વધ અને બંધ પરીષહના રૂપમાં આવતા ઉપસર્ગ સાધકને કેવી રીતે પીડે છે, તેનું વિશદ વર્ણન છે. બાવલંડ :- કેટલાક સુવતી સાધુ સહજભાવથી અનાર્ય દેશના સીમાવર્તી પ્રદેશમાં વિચરણ કરે છે, તે સમયે કેટલાક અનાર્ય લોકો તેને પીડા પહોંચાડે છે. અનાર્યોને માટે અહીં ત્રણ વિશેષણોનો પ્રયોગ કર્યો છે. (૧) આયઃ સમાચાર (૨) મિચ્છાયિ ભાવના અને (૩) દરિસખસમાવUM અર્થાતુ અનાર્ય પોતાના આત્માને જ કર્મબંધથી દંડિત કરનારા, કલ્યાણ ભ્રષ્ટ આચારોથી યુક્ત હોય છે, તેમની બુદ્ધિ મિથ્યાત્વ દોષથી જકડાયેલી છે તથા તેઓ રાગ-દ્વેષથી કલુષિત હોય છે. અખેને...વયર :- તે અનાર્યલોકો સીમાપ્રાન્ત પર વિચરતા સુવિહિત સાધુને આ ગુપ્તચર છે, ચોર છે, આવી આશંકાથી પકડીને બાંધી દે છે, કષાયયુક્ત થઈને અપશબ્દો કહે છે, પછી તેને દંડાથી, મુક્કાથી, લાકડીથી માર મારે છે. બાળ સ૨૬ જાને - અનાર્ય લોકો દ્વારા કરાયેલા પ્રહારથી ગભરાઈને અજ્ઞાની નવદીક્ષિત સાધક પોતાના માતા-પિતા અથવા સ્વજનવર્ગને યાદ કરીને પસ્તાય છે. જેમ કોઈ સ્ત્રી ઘરેથી ક્રોધિત થઈને ભાગી જાય છે પરંતુ કામી પુરુષોના સકંજામાં સપડાય ત્યારે તેને પોતાના સ્વજનો યાદ આવે છે, તેમ તે સાધક પણ સ્વજનોને યાદ કરે છે. શાસ્ત્રકારે આવા ઉપસર્ગોના સમયે સાધકને સાવધાન કરવા માટે આવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. ઉપસર્ગ પરાજિતની સ્થિતિ :છા પતે મો વસિ પાસ, પરસ કુદિયાલય I - हत्थी वा सरसंवीता, कीवाऽवसा गया गिहं ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ :- જો હે શિષ્યો!ત્તે પૂર્વે કહેલા આ સિT = સમસ્ત, પાલ - સ્પર્શ, રુસ = પરુષ (કઠિન-કઠોર) છે, કુદિયાસિયા = દુઃસહ છે, સરસવીતા = બાણોથી પીડિત હાથીની જેમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy