SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) કર્યાંથી આવ્યો છો ? તે સમયે સાધુ મૌન રહે, ઉત્તર ન આપે. પ્રશ્ન થાય છે કે સર્વથા મૌન રહેવાથી લોકો કયારેક કોધમાં આવી જઈને મારે, હેરાન કરે, તે સમયે સમભાવપૂર્વક સહન કરવાની શક્તિ ન હોય તો મુનિ શું કરે ? વૃત્તિકાર તેનું સમાધાન બે રીતે કરે છે. ૧૦૬ ન (૧) જિનકલ્પી સાધુ અથવા અભિગ્રહધારી સાધુ નિરવધ–પાપકારી ન હોય તેવી ભાષા પણ ન બોલે. લોકો પૂછે તો ઉત્તર ન આપે. લોકોના ક્રોધ, માર વગેરેને સમભાવથી સહન કરે. (૨) સ્થવિરકપી, ગચ્છગત સાધુ ધર્મ સંબંધિત ઉત્તર કે પરિચય સંબંધિત ઉત્તર નિરવધ ભાષામાં આપી શકે છે. તેઓ સાવધ—પાપકારી ભાષા ન બોલે. - આ (૪) ક્થથમિર્ અખાતે :- સૂર્ય અસ્ત થઈ જાય ત્યાં શાંતિથી રહી જાય. આ નિર્દેશની પાછળ રહસ્ય એ છે કે રાતના અંધારામાં સાપ, વીંછી આદિ દેખાય નહિ અને તે કરડી જાય; હિંસક, જંગલી પશુ આક્રમણ કરે; ચોર, લૂંટારા આદિના સંદેહમાં કોઈ પકડી લે; બીજા સુક્ષ્મ અથવા સ્થૂલ જીવ પણ પગ નીચે આવીને કચડાઈ જાય. આ દોષોની સંભાવનાના કારણે સાધુ સૂર્યાસ્ત થાય ત્યાં રાત્રિ નિવાસ કરે. (૫) સવિસમાળિ મુળીદિયાસણ્ :- પ્રતિકૂળ તેમજ ઉપવયુક્ત સ્થાનમાં સમભાવથી પરીષહ સહે. કદાચ કોઈ ઊઁચી–નીચી જગ્યાવાળું, ખાડા ટેકરાવાળું, ખુલ્લું અથવા બિલકુલ બંધ સ્થાન હોય; ડાંસ, મચ્છર આદિનો ઉપદ્રવ હોય; જંગલી જનાવરોનો ભય હોય; ઝેરી જંતુઓ નીકળે તો સાધુ વ્યાકુળ થયા વિના શાંતિથી તે પરીષહોને સહી લે પરંતુ તે જંતુઓની હિંસા થાય તેવું વર્તન ન કરે. (૬) ૩વસ તિવિહાદિયાસિયા :-દેવ, મનુષ્ય, તિર્યંચકૃત ઉપસર્ગને સમભાવથી સહન કરે. ઉપસર્ગ સમયે સાધક ભયભીત બની જાય, ઉપસર્ગને દૂર કરવા પ્રયત્ન કરે તો પોતાની સમાધિના મંગ સાથે અન્ય જીવોની હિંસા અને પોતાની ભાવહિંસા થાય છે માટે ઉપસર્ગને સહન કરે. (૭) વિવિત્તમાસળ :- સ્ત્રી, પશુ, નપુંસક રહિત, ભીડ રહિત સ્થાનમાં રહે. કોલાહલયુક્ત જનસમુદાયવાળા સ્થાનમાં રહેતા એકલચર્યાની સાધનાનો ઉદ્દેશ્ય પૂર્ણ ન થાય. સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સર્ગાદિમાં વિક્ષેપ પડે. તેથી વિવિક્ત શયનાસન ગ્રહણ કરે. (૮) સંસગ્નિ અસાદું રાäિ :- રાજા આદિનો સંસર્ગ. લૌકિક સ્વાર્થ માટે આવતા લોકોના સતત સંપર્કથી એકલવિહારી સાધુની સાધના મંદ પડે છે માટે લોકોનો સંપર્ક વર્જ્ય છે. (૯) લિખોવન તત્તોફળો :- ગરમ પાણીને ગરમ ગરમ જ પીએ. સ્વાદ વિજય તેમજ કષ્ટ સહિષ્ણુતાની દૃષ્ટિએ એકચારી સાધુનો આ વિશિષ્ટ આચાર બતાવ્યો છે. એકચર્યાની વિકટ સાધનાનો અધિકારી સાધક !– એકચર્યાની વિશિષ્ટ સાધના, તેની યોગ્યતા તથા વિશિષ્ટ આચારસંહિતાને જોતાં આ કઠોર સાધનાનો અધિકારી કાંતો કોઈ વિશિષ્ટ અભિગ્રહધારી સાધનાશીલ સાધુને ઉદ્દેશીને કહેલ છે. સામાન્ય સ્થવિરકલ્પી સાધુને મકાનના હાર ખોલવા, બંધ કરવા કે મકાનનું પરિમાર્જન કરવું તે નિષિદ્ધ નથી. પરંતુ આ ગાથાઓમાં આવી ઘણી બધી બાબતોનો વિધિનિષેધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy