SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ | શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) ૮- પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતો રૂપી સંવરોથી યુક્ત રહે. ૯- સાધુ ગૃહસ્થો સાથે આસક્તિના બંધનથી બંધાયેલ ન રહે. ૧૦- મોક્ષ પ્રાપ્ત થાય ત્યાં સુધી સંયમ–અનુષ્ઠાનમાં જોડાયેલ રહે. આ રીતે ચારિત્ર શુદ્ધિ માટે સાધુને દશ વિવેક સૂત્રોનો ઉપદેશ શાસ્ત્રકારે આપ્યો છે. તેને સ્પષ્ટ કરતાં સૂત્રકાર કહે છે. (૧) ગુલા:- દશ પ્રકારની સમાચારીમાં સ્થિત રહેવું તે ચારિત્ર શુદ્ધિ માટેનું પહેલું વિવેકસૂત્ર છે. qસા નો શાબ્દિક અર્થ છે– વિવિધ પ્રકારે વસેલું. વૃત્તિકાર તેનો આશય સ્પષ્ટ કરતાં કહે છે– દશ પ્રકારની સાધુ સમાચારીમાં વસેલ, સ્થિત, વસનાર.આ દશ પ્રકારની સમાચારી સંસાર સાગરથી તારનારી, સાધુના ચારિત્રને શુદ્ધ રાખનારી અને તેને અનુશાસનમાં રાખનારી છે. સમાચારીના દશ પ્રકાર ક્રમથી આ પ્રમાણે છે(૧) આવવા = આવશ્યક કાર્ય કરવા ઉપાશ્રય આદિ સ્થાનથી બહાર જતાં સાધુએ આ વસહી आवस्सही ते आवश्यकी छे. (૨) fણાલિ = આવશ્યક કાર્ય કરી પોતાના સ્થાન ઉપાશ્રય આદિમાં પ્રવેશ કરતી વખતે વિરહ fસ્સીહ કહેવું તે "નૈષિધિકી છે. (૩) માપુરછ = કોઈપણ કાર્ય કરતી વખતે જ્યેષ્ઠ દીક્ષિત (રત્નાધિક–દીક્ષા પર્યાયમાં મોટા)ને પૂછવું તે આપૃચ્છના છે. (૪) પુછUT = બીજાનું કામ કરતી વખતે મોટાને પૂછવું તે અથવા પૂર્વે વડિલે જે કાર્યનો નિષેધ કર્યો હોય તે કાર્ય આવશ્યક જણાતા પુનઃ તે કાર્ય માટે પૂછવું તે પ્રતિકૃચ્છના છે. (૫) છળT = ગોચરીમાં લાવેલા દ્રવ્યો માટે ગુર્નાદિકોને આમંત્રિત કરવા તે છવા છે. (૬) છon૨ = પોતાનું અને બીજાનું કાર્ય કરવાની ઇચ્છા બતાવવી અથવા બીજાઓ પાસે પોતાનું કાર્ય કરાવવા વિનમ્ર નિવેદન કરવું કે તમારી ઈચ્છા હોય તો અમુક કાર્ય કરો ! અથવા વડીલ, ગુર્નાદિકની ઇચ્છાનુસાર ચાલવું તે "ઈચ્છાકાર" છે. (૭) નિષ્ઠાવા૨ = દોષોના નિવારણ માટે ગુરુજન સમક્ષ આલોચના કરીને પ્રાયશ્ચિત લેવું અથવા આત્મનિંદાપૂર્વક મિચ્છામિ દુહમ્ કહીને દોષને મિથ્યા (શુદ્ધ) કરવો તે "મિથ્યાકાર" છે. (૮) સદાર તરઃ -"આપ જેમ કહો છો, તેમજ છે." એમ કહી ગુરુજનોના વચનોને સન્માનપૂર્વક સ્વીકાર કરવા તે "તથાકાર" છે. (૯) અમુકાળ = ગુરુજનોના સત્કાર–સન્માન અથવા બહુમાન કરવા માટે ઉધત રહેવું તેઓના સત્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy