SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન—૧/ઉદ્દેશક-૪ શાસ્ત્રકારે કર્યો છે. ૨. ગ્રહણૈષણાના શંકિત વગેરે ૧૦ દોષ છે. આહાર ગ્રહણ કરે ત્યારે સાધુની અસાવધાનીથી આ દોષ લાગે છે. વત્તેસળ વરે ગૃહસ્થ આહાર આપે ત્યારે વિધિપૂર્વક ગ્રહણ કરે. આ ગાથાપદ દ્વારા શાસ્ત્રકારે ગ્રહણ એષણાના ૧૦ દોષોથી બચવાનો સંકેત કર્યો છે. ૩. પારિભોગૈષણા– આહાર કરતા સમયે રાગ–દ્વેષ, ઈષ્ટ, અનિષ્ટ વગેરે ભાવોથી આ દોષ લાગે છે. અભિને, વિમુદ્દે અને ગોમાળ પવિત્ત્ત ગુદ્ધિ, રાગદ્વેષ લિપ્તતા કે અપમાન ન કરવું. આ ગાથા પદ દ્વારા શાસ્ત્રકારે અંગાર વગેરે ગ્રાસૈષણાના પાંચ દોષથી દૂર રહેવાનું સૂચન કર્યું છે. ओमाणं परिवज्जए: :- આ પદની વ્યાખ્યા કરતા વૃત્તિકાર કહે છે કે ભિક્ષાના સમયે સાધુ ગૃહસ્થને ત્યાં જાય, તે સમયે જો કોઈ તેને અપમાનિત કરે અથવા અપશબ્દ કે મર્મસ્પર્શી શબ્દ કહે તો તે અપમાનથી સાધુ દુઃખી ન થાય અથવા ગૃહસ્થ કોઈ સારી ચીજ ન આપે, બહુ થોડી આપે અથવા તુચ્છ—લુખ્ખો—સૂકો આહાર આપે તો સાધુ તેના પર ક્રોધ કરી તેનું અપમાન ન કરે. જ્ઞાન અને તપના મદનો પરિત્યાગ કરે. આહાર સંબંધી આ સમસ્ત વિવેક આરંભથી મુક્ત થવા માટે જ બતાવવામાં આવ્યો છે. લોકવાદ સમીક્ષા ઃ लोगावायं णिसामेज्जा, इहमेगेसिं आहियं । विवरीयपण्णसंभूयं, अण्णवृत्तं तयाणुगं ॥ ૧ ५ શબ્દાર્થ:- તોળવાય = લોકવાદ અર્થાત્ પૌરાણિકોના સિદ્ધાંતને, ખિસામેખ્ખા = સાંભળવો જોઈએ, વિવરીય પળસંમૂય – વસ્તુતઃ પૌરાણિકોનો સિદ્ધાંત વિપરીત બુદ્ધિથી રચાયેલો છે તથા, બળવત્ત तथागं = અન્ય અવિવેકીઓએ જે કહ્યું છે તેના અનુગામી છે. Jain Education International ભાવાર્થ :- આ લોકમાં કેટલાક લોકોનું કથન છે કે લોકવાદ–પૌરાણિક કથા અથવા પ્રાચીન લૌકિક લોકો દ્વારા કહેલી વાતો સાંભળવી જોઈએ. વસ્તુતઃ પૌરાણિકોનો વાદ વિપરીત બુદ્ધિની ઉપજ છે, તત્ત્વ વિરુદ્ધ પ્રજ્ઞા દ્વારા રચિત છે, આ લોકવાદ પરસ્પર એક બીજા દ્વારા કહેલી જૂઠી વાતોનો જ અનુગામી છે. ६ अणते णिइए लोए, सासए ण विणस्सइ । अंतवं णिइए लोए, इति धीरोऽतिपासइ ॥ શબ્દાર્થ :- અંતવું = અંતવાળો, કૃતિ = આ રીતે, ધત્તે = ધીરપુરુષ, વ્યાસ વગેરે, અતિપાલફ અત્યંત જુએ છે, સ્પષ્ટ જુએ છે. ભાવાર્થ:- પૃથ્વી આદિ આ લોક અનંત (સીમા રહિત) છે, નિત્ય છે અને શાશ્વત છે, તે ક્યારે ય નષ્ટ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy