SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧/ઉદ્દેશક-૩ _ પ૩ | શબ્દાર્થ:- ૬ = આ જગતમાં, સિં = કોઈકનું, આદિત્યં = કથન છે કે, આવા = આત્મા, સુશુદ્ધ, અપવા = અને પાપરહિત છે, પુણો = તો પછી, તે = તે આત્મા, શીડ પોષ = રાગદ્વેષના કારણે, તત્થ = ત્યાં, અવર = બંધાઈ જાય છે. ભાવાર્થ - કેટલાક દાર્શનિકોનો મત છે કે આત્મા શુદ્ધ આચરણ કરી, પાપરહિત થઈને મોક્ષમાં જાય છે. ફરીથી રાગ અને દ્વેષના કારણે ત્યાં મોક્ષમાં જ બંધ યુક્ત થઈ જાય છે. - इह संवुडे मुणी जाए, पच्छा होइ अपावए । Sા વિ૬ વ ગ મુન્નો, નારિયે સરવે તહીં શબ્દાર્થ – પાવ રોફ = તે પાછળથી પાપરહિત થઈ જાય છે, સિદ્ધ થઈ જાય છે, વિવું == પાણી, મુળો = ફરીથી, સરચું = મલિન થઈ જાય છે, તરી = એવી જ રીતે તે નિર્મળ આત્મા ફરીથી મલિન થઈ જાય છે. ભાવાર્થ:- આ મનુષ્યભવમાં જીવ સંવત-સંયમ નિયમાદિ યુક્ત મુનિ બનીને નિષ્પાપ થઈ જાય છે. જેવી રીતે રજ રહિત નિર્મળ પાણી ફરીથી રજયુક્ત મલિન થઈ જાય છે તેવી જ રીતે તે નિર્મળ, નિષ્પાપ આત્મા પણ પુનઃ મલિન થઈ જાય છે. વિવેચન : આ બે ગાથામાં ગોશાલકના આજીવક મત માન્ય આત્માની ત્રણ અવસ્થા "ઐરાશિક" મતનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. જીવ રાશિ, અજીવ રાશિ અને નોજીવરાશી; આ ત્રણ રાશિ માન્ય નૈરાશિકને સ્વીકારતા નિહુનવની અહીં વાત નથી. અહીં તો આત્માની ત્રણ રાશિઓનું કથન કરવામાં આવ્યું છે. તે ત્રણ અવસ્થાઓ આ પ્રમાણે છે. (૧) રાગદ્વેષ સહિત, કર્મ બંધનથી યુક્ત, પાપ સહિત અશુદ્ધ આત્માની અવસ્થા. (૨) આત્મા આચરણ કરી, નિષ્પાપ અવસ્થા પ્રાપ્ત કરી, મુક્તિમાં પહોંચી જાય છે. મોક્ષગત આત્માની શુદ્ધ અવસ્થા. (૩) તે શુદ્ધ-નિષ્પા૫ આત્મા રાગ અને દ્વેષના કારણે ફરી કર્મરજથી અશુદ્ધ થઈ જાય છે. પોતાના મતનું અપમાન અને અન્ય મતનું સન્માન જોઈ તે મુક્તાત્માને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે અને પુનઃ સંસારમાં અવતાર ધારણ કરે છે. આત્માની તે ત્રીજી અશુદ્ધ અવસ્થા. પુળો જીડીપો :- મુક્તાત્માને પોતાના શાસનની પૂજા અને પર શાસનનો અનાદર જોઈને પ્રમોદ–આનંદ(રાગ) ઉત્પન્ન થાય છે તથા સ્વશાસનનો પરાભવ અને પરશાસનનો અભ્યદય જોઈને દ્વેષ થાય છે. આ રીતે શુદ્ધ આત્મા રાગદ્વેષથી લેપાઈ જાય છે, રાગ દ્વેષ જ કર્મબંધના કારણ છે. આ રીતે તે પુનઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy