SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ | શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ આ સર્વ ઉદ્દેશકોમાં સાધુને આહારની ગવેષણા કરતાં ઉપસ્થિત થતી વિવિધ પરિસ્થિતિઓના વિસ્તૃત વર્ણન દ્વારા ઉગમ, ઉત્પાદન અને એષણા વગેરે ગોચરી સંબંધી દોષોનું કથન કર્યું છે અને તે-તે પરિસ્થિતિઓમાં દોષોથી દૂર રહેવા સાધુએ કેવી-કેવી રીતે વિવેક રાખવો, તેની સમજણ આપી છે. અગિયારમા ઉદ્દેશકમાં આહાર-પાણીની ગવેષણા કરતાં સાધુના વિવિધ અભિગ્રહો, સાત પિંડેષણા અને સાત પાનૈષણાના માધ્યમથી સમજાવ્યા છે. સુત્રકારે એષણા સમિતિની શુદ્ધિ માટે અનેક વિધેયાત્મક-નિષેધાત્મક પ્રવૃત્તિના કથન પછી અંતે સાધકોને પોત-પોતાની ગવેષણા સંબંધી અહંકારનો ત્યાગ કરવાનું સૂચન કરીને કષાયવિજયના લક્ષ્ય પ્રતિ જાગૃત કર્યા છે. આ રીતે આહારાદિ પ્રાપ્તિની સમગ્ર પ્રક્રિયા આત્મસાધનામાં કઈ રીતે સહાયક બને છે, તેના વિશદ વિશ્લેષણ સાથે આ અધ્યયન પૂર્ણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy