SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧૫ _. | ૨૯૯ | ગર્ભ સહરણ સમયની શાનદશા - ચ્યવન સ્વતઃ થાય છે. તેમાં એક, બે કે ત્રણ સમય જ થતાં હોવાથી તેને છદ્મસ્થો જાણી શકતા નથી, પરંતુ ગર્ભ સંહરણની ક્રિયા છદ્મસ્થ દેવો દ્વારા થાય છે, તેમાં અસંખ્યાત સમય વ્યતીત થાય છે, તેથી તે ઘટનાને છદ્મસ્થો જાણી શકે છે. તેથી ‘મારું સંહરણ થવાનું છે, મારું સંહરણ થઈ રહ્યું છે અને મારું સંહરણ થઈ ગયું છે, આ ત્રણે કાળની ક્રિયાને પ્રભુ પોતાના અવધિજ્ઞાન દ્વારા જાણતા હતા. ભગવાન મહાવીર સ્વામીનો જન્મ - ४ तेणं कालेणं तेणं समएणं तिसला खत्तियाणी अह अण्णया कयाइ णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाण राइंदियाणं वीइकंताणं जे से गिम्हाणं पढमे मासे दोच्चे पक्खे चेत्तसुद्धे तस्स णं चेत्तसुद्धस्स तेरसीपक्खेणं हत्थुत्तराहिं णक्खत्तेणं जोगोवगएणं समणं भगवं महावीरं आरोग्गारोग्गं पसूया । શબ્દાર્થ - આરોજ રોજે = આરોગ્યારોગ્યતાએ, પૂર્ણ સ્વસ્થપણે (માતા અને પુત્ર) બંનેની આરોગ્યતા પૂર્વક, સુખપૂર્વક, સકુશળપણે. ભાવાર્થ :- કાલે અને તે સમયે ત્રિશલા રાણીએ નવમાસ અને સાડા સાત અહોરાત્રિ પસાર થયા પછી ગ્રીષ્મઋતુના પ્રથમ માસના બીજા પખવાડિયામાં, ચેત્ર સુદ તેરસના ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થયો ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આરોગ્યતાપૂર્વક અર્થાત્ પૂર્ણ સ્વસ્થપણે જન્મ આપ્યો. | ५ जणं राई तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोग्गारोग्गं पसूया तंण राई भवणवइ-वाणमंतर-जोइसिय-विमाणवासिदेवेहि य देवीहिं य ओवयंतेहिं य उप्पयंतेहिं य संपयंतेहिं य एगे महं दिव्वे देवुज्जोए देवसण्णिवाए देवकहक्कहए उप्पिजलगभूए यावि होत्था । શબ્દાર્થ - વચંદ્ધિનીચે આવવાથી ૩Mહિં = ઉપર જવાથી સંપહિં ગમનાગમનના પ્રયત્નથી ને મહું = એક મહાન વિષ્ય = પ્રધાન દેવુળો = દેવવિમાનોનો પ્રકાશ થયો લેવાવા, = દેવોના ભેગા થવાથી રેવ8 = દેવોના કોલાહલથી બનનામૂાયાવિ ત્થા = તે રાત્રિ દેવોના અટ્ટહાસ્યથી તેમજ પ્રકાશથી યુક્ત થઈ ગઈ. ભાવાર્થઃ- જે રાત્રિમાં ત્રિશલા રાણીએ પૂર્ણ સ્વસ્થપણે પૂર્વક ભગવાનને જન્મ આપ્યો, તે રાત્રિમાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો અને દેવીઓના દેવલોકમાંથી નીચે આવવાથી, ઉપર જવાથી અને મેરુ પર્વત ઉપર ગમનાગમન કરવાથી એક મહાન દિવ્ય દેવોદ્યોત થયો. દેવો ભેગા થવાથી લોકમાં હલચલ મચી ગઈ, દેવોના પરસ્પરના હાસ્ય-વિનોદથી ચારે બાજુ કોલાહલ અને આનંદ ફેલાઈ ગયો. ६ जणं रयणि तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया तं णं रयणिं बहवे देवा य देवीओ य एगं महं अमयवासं च गंधवासं च चुण्णवासं च पुप्फवासं च हिरण्णवासं च रयणवासं च वासिंसु । શબ્દાર્થ -અમચવાd = અમૃતવર્ષા કરી ગંધવાd = સુગંધિત દ્રવ્યોની વર્ષા ગુણવાd = સુગંધિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy