SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧૧ _. ૨૭૧ ] સૂર છેડાતા હોય, તો સાધુને તે શબ્દ શ્રવણ માટે જવાનો નિષેધ કર્યો છે. - સાધુને ગ્રામાનુગ્રામવિહાર કરતાં વિવિધ સ્થાનોમાંથી પસાર થવાનું હોય, ત્યાં તેને વિવિધ પ્રકારના શબ્દો સાંભળવા મળે છે, પરંતુ સાધુ તેમાં રાગ કે દ્વેષ કરે નહીં અને મનોજ્ઞ શબ્દો સાંભળવાની ઇચ્છાથી કોઈપણ ચોક્કસ સ્થાનમાં જાય નહીં. સાધુ સૂત્રોક્ત સ્થાનના શબ્દો સાંભળવા જાય તો તે નિશીથ સૂત્ર કથિત પ્રાયશ્ચિતના ભાગી બને છે. મનોરંજનના સ્થળોમાં શબ્દશ્રવણમાં સંયમ:१२ से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाई सद्दाई सुणेइ, तं जहामहिसजुद्धाणि वा वसभजुद्धाणि वा अस्सजुद्धाणि वा जाव कविंजलजुद्धाणि वा अण्णयराइं वा तहप्पगाराई सद्दाई कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए। ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દોને સાંભળે, જેમ કે- ભેંસો કે પાડાઓનું યુદ્ધ, બળ દોનું યુદ્ધ, અશ્વયુદ્ધ, ગજયુદ્ધ યાવતુ કપિંજલ યુદ્ધ, આ પ્રાણીઓના લડવાથી થતાં શબ્દો કે તથાપ્રકારના અન્ય કોઈના લડવા-ઝગડવાના વિવિધ શબ્દોને સાંભળવાની ઇચ્છાથી સાધુ ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ. |१३ से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाई सद्दाई सुणेइ, तं जहाजूहियट्ठाणाणि वा हयजूहियट्ठाणाणि वा गयजूहियट्ठाणाणि वा अण्णइराइ वा तहप्पगाराई सद्दाई कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । શબ્દાર્થ - નૂદિયgrળ લગ્નાદિ સમયે ગવાતા ગીતોના સ્થાનો નૂદિયાબળ = અશ્વોનો સમૂહ જ્યાં એકઠો થતો હોય અથવા જ્યાં રહેતો હોય, લાયવૂહિવ્યાપા = હાથીઓનો સમૂહ રહેતો હોય. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દોને સાંભળે, જેમ કે- લગ્નાદિ સમયે ગવાતા ગીતોના સ્થાનોમાં, અશ્વ સમૂહના સ્થાનોમાં, હસ્તિ સમૂહના સ્થાનોમાં તથા આ પ્રકારના અન્ય સ્થાનોમાં શબ્દોને સાંભળવાની ઇચ્છાથી સાધુ ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ. १४ से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाई सद्दाई सुणेइ, तं जहाअक्खाइयट्ठाणाणि वा माणुम्माणियट्ठाणाणि वा महयाहयणट्ट-गीय-वाइय-ततितलताल-तुडिय-घणमुइंग-पडुप्प-वाइयट्ठाणाणि वा अण्णयराइ वा तहप्पगाराई सद्दाई कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । શબ્દાર્થ :- અ ઠ્ઠાણા = કથા કરવાનું સ્થાન માજુમાળિયક્ળાળ = માપ-તોલ થતા હોય તે સ્થાન અથવા ઘોડાની ગતિની પરીક્ષા હોય તે સ્થાન અથવા એકના બળના માપથી બીજાના બળ નું અનુમાન થાય તેવા માનોન્માનિત સ્થાન માથાક્ય-વાચનતંતિતતતતતુડિયષણમુદ્દા પડુવાયઠ્ઠાળાTM = મોટા નૃત્ય, ગીત, વાજિંત્ર, વીણા, તાલ, ઝાંઝ, પખાજ, ઢોલ, ઘન, મૃદંગ આદિથી ઉત્પન્ન થતાં શબ્દો જ્યાં થતાં હોય તે સ્થાન. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દોને સાંભળે, જેમ કે જ્યાં કથા કહેવાતી હોય, તોલમાપ થતા હોય; મોટા નૃત્ય, નાટક, ગીત, વાજિંત્ર, વીણા, તાલ, ઝાંઝ, પખાજ, ઢોલ, તૂરી, ઘન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy