SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ર | શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :- સાધુ કે સાધ્વીને કોઈ કારણવશ લસણ, લસણ કંદ, લસણની કળી (લસણનો રસ કે અક) લસણના લાંબા ટુકડા કે નાના ટુકડા ખાવા કે પીવાની ઇચ્છા થાય, તો તે જાણે કે એ લસણ યાવતું લસણના નાના ટુકડા વિકસેન્દ્રિય જીવોના ઈડા યાવત્ કરોળિયાના જાળાથીયુક્ત છે, તો તેને ગ્રહણ કરે નહીં. જો તે શસ્ત્ર પરિણત હોય, તો પૂર્વની જેમ પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય, ત્યારે ગ્રહણ કરી શકે છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે આમ્રવન, ઇક્ષુવન કે લસણના વનમાં રહે ત્યારના વિવેકનું પ્રતિપાદન કર્યું છે. રામાનુગ્રામવિચરતા સંતોને આંબાવાડી વગેરે સ્થાનોમાંઉતરવાની આવશ્યકતા ઊભી થાયતો માલિકની આજ્ઞા લઈને સાધુ તે-તે સ્થાનોમાં રહી શકે છે. તે સ્થાનોમાં કેરી, શેરડી વગેરેને સુધારવા-પીલવાના વગેરે કાર્યો થતાં હોય તો સાધુ નિર્દોષ-પ્રાસુક તે પદાર્થોને ગ્રહણ કરી શકે છે. પૂર્વે અધ્યયન–૧ ઉદ્દેશક–૧૦ અનુસાર શેરડીને ઉજ્જિત ધર્મા હોવાથી સાધુને ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે. અહીં આજુબાજુમાં અન્ય આહાર યોગ્ય પદાર્થ મળે તેમ ન હોય તો શરીર નિર્વાહાથે શેરડીનો રસ, ગંડેરી વગેરે લેવાનું વિધાન છે. તે પદાર્થો કાચા, અપક્વ, અન્ય જીવજંતુઓથી સંસક્ત હોય, બીજ સહિતના અખંડ હોય, તો તે અપ્રાસુક હોવાથી સાધુને માટે અકલ્પનીય છે. જો તે પદાર્થો પાકા હોય અને અન્ય જીવજંતુઓથી સંસક્ત ન હોય, તે સુધારેલ હોય અથવા નાના-નાના ટુકડા કરેલા હોય, બીજથી પૂર્ણપણે રહિત હોય, તો સાધુ તેને ગ્રહણ કરી શકે છે. સંક્ષેપમાં સચેત અખંડ ફળ સાધુને અગ્રાહ્ય છે, સુધારેલા, બીજથી રહિત, અચેત પાકા ફળ સાધુ ગ્રહણ કરી શકે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં લસણની અનંતકાય-સાધારણ વનસ્પતિમાં ગણના કરી છે. લસણનો ઉપયોગ અન્ય ખાદ્ય પદાર્થોની સાથે જ થાય છે. એકલું લસણ ખાઈ શકાતું નથી. અહીં જે લસણ ખાવાનું કથન છે તે કોઈ રોગના ઔષધરૂપે ગ્રહણ કરવાનું વિધાન છે, તેમ સમજવું. સામાન્ય રૂપે સાધુ વ્યવહાર શુદ્ધિના લક્ષ્ય અનંતકાયને ગ્રહણ કરતા નથી. અવગ્રહ ગ્રહણની સાત પ્રતિમા :|१४ से भिक्खू वा भिक्खुणी वा आगंतारेसु जाव परियावसहेसु वा जे तत्थ गाहावईण वा गाहावइपुत्ताण वा इच्चेयाई आयतणाई उवाइकम्म, अह भिक्खू जाणेज्जा इमाहिं पडिमाहिं उग्गहं ओगिण्हित्तए तत्थ खलु इमा पढमा पडिमा- से आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा, परियावसहेसु वा अणुवीइ ओग्गहं जाएज्जा जाव विहरिस्सामो। पढमा पडिमा । __ अहावरा दोच्चा पडिमा- जस्स णं भिक्खुस्स एवं भवइ अहं च खलु अण्णेसिं भिक्खूणं अट्ठाए ओग्गहं ओगिहिस्सामि, अण्णेसिं भिक्खूणं उग्गहे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy