SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ] | શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ उत्ताणए हत्थे कटु, भूमीए वा ठवेत्ता "इमं खलु-इमं खलु त्ति" आलोएज्जा, णो चेव णं सयं पाणिणा परपाणिसि पच्चप्पिणेज्जा । ભાવાર્થ:- ધર્મશાળા આદિમાં આજ્ઞા લઈને રહેલા સાધુ ગૃહસ્થ કે ગૃહસ્થના પુત્ર આદિ પાસેથી સોય, કાતર, કાનખોતરણી, નખ કાપવાનું સાધન આદિ પાઢીહારા ઉપકરણો પોતાના માટે યાચના કરીને લાવ્યા હોય, તો તે ઉપકરણો એક બીજાને આપે નહિ, વારંવાર આપે નહિ, નિમંત્રણ કરે નહિ અથવા બીજા સાધુને તે સોંપે નહિ. તે ઉપકરણો પાછા આપવાના હોય ત્યારે પણ તે સાધુ પોતાનું કર્તવ્ય સમજીને સ્વયં તેને લઈને ગૃહસ્થને ત્યાં જઈને, હથેળીમાં રાખીને અથવા સોય આદિને ભૂમિ ઉપર મૂકીને ગૃહસ્થને કહે કે તમારી આ વસ્તુને તમે સંભાળી લેજો, પરંતુ તે સોય આદિ વસ્તુઓને સાધુ પોતાના હાથથી ગૃહસ્થના હાથમાં આપે નહિ. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં અન્ય ગચ્છવર્તી સમનોજ્ઞ સાધુઓ સાથેના શય્યા-સંસ્તારક સંબંધી વ્યવહારનું તેમજ સ્વગચ્છવર્તી સાધુઓ સાથે સોય, કાતર આદિ સંબંધી વિશિષ્ટ વ્યવહારનું પ્રતિપાદન છે. સાધુ જે સ્થાનમાં રહ્યા હોય, ત્યાં પોતાની આવશ્યકતા અનુસાર પાટ-પાટલા આદિ પઢીહારી વસ્તુની યાચના કરીને લાવ્યા હોય. ત્યાં કોઈ ઉત્તમ આચારનું પાલન કરનારા અસાંભોગિક સાધુ અર્થાત્ અન્ય ગચ્છીય સાધુ પધારે, તો પણ સાધુ આદર-સત્કારપૂર્વક તેનું સ્વાગત કરે, તેને સાથે રહેવા માટે મકાનની આજ્ઞા આપે તેમજ પાટ-પાટલા, શય્યા આદિનું આમંત્રણ કરે. જેમ કે- ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેશી સ્વામી અને ભગવાન મહાવીર સ્વામીની પરંપરાના ગૌતમ સ્વામીનું મિલન થયું ત્યારે તે બંને સંતોની ભિન્ન ભિન્ન સમાચારી હોવા છતાં ઉત્તમ આચારનિષ્ઠ હોવાના કારણે કેશી સ્વામીએ ગૌતમ સ્વામીને બેસવા માટે પ્રાસુક ઘાસાદિના સંતારક ગ્રહણ કરવા વિનંતી કરી હતી. તે કથન શ્રી ઉત્તરાધ્યયન સુત્ર, અધ્યયન-૨૩/૧૩માં છે. ચારિત્રનિષ્ઠ અસંભોગી સાધુ સાથે પણ વિનયવિવેક, પ્રેમ અને મૈત્રીપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ, તે આ સૂત્રથી સ્પષ્ટ થાય છે. જો સાધુ પોતાના એક માટે જ સોય, કાતર આદિ પાઢીહારી વસ્તુ લાવ્યા હોય અથવા તો દાતાએ તેના એકના માટે જ આપું છું, એમ સ્પષ્ટ કહ્યું હોય, તો તે વસ્તુ બીજા સાધુને આપે નહીં. પોતાનું કાર્ય પૂર્ણ થયા પછી સ્વયં ગૃહસ્થને ત્યાં જઈને સૂર્યાસ્ત પહેલાં જ તે વસ્તુ ગૃહસ્થને વ્યવસ્થિત પાછી સોંપી દે. ગૃહસ્થને પાછું સોપે ત્યારે સોય, કાતર આદિ ગૃહસ્થને હાથો હાથ આપે નહીં પરંતુ પોતાની હથેળીમાં રાખીને ગૃહસ્થને લેવાનું કહે અથવા ભૂમિ ઉપર મૂકીને ગૃહસ્થને કહે કે તમે વ્યવસ્થિત રીતે સંભાળી લ્યો.' - જો સાધુ સ્વયં ગૃહસ્થને પાછું આપવા ન જાય અને બીજા સાથે મોકલી દે તો ગૃહસ્થને એમ થાય કે મેં તો તેના એકના માટે જ આપી હતી તો તેમણે બીજાને શા માટે આપ્યા હશે? આવા અનેક પ્રકારના વિકલ્પો થાય માટે જે સાધુ સમય આદિ લાવ્યા હોય તે જ સાધુએ પાછા આપવા જવું જોઈએ અને જેની પાસેથી સોય, કાતર આદિ લીધા હોય, તેને જ આપવા જોઈએ બીજાને આપીને પાછા આવે, તો ક્યારેક ગૃહસ્થ કહે કે મને અમુક વસ્તુ મળી નથી અથવા મારી વસ્તુ ખરાબ થઈ ગઈ છે, આવા કોઈ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy