SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮] શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ वत्थं सयं वा णं जाएज्जा परो वा से देज्जा, फासुयं एसणिज्जं लाभे संते पडिगाहेज्जा । दोच्चा पडिमा । ભાવાર્થ:- બીજી પ્રતિમા- સાધુ કે સાધ્વી સામે દેખાતા વસ્ત્રની યાચના કરે, જેમ કે- ગૃહસ્થ યાવતું નોકરાણીઓ આદિ પાસે વસ્ત્રની યાચના કરતા કહે કે હે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે બહેન ! તમે મને આ સામે દેખાતા વસ્ત્રોમાંથી કોઈ એક વસ્ત્ર આપશો? આ પ્રમાણે સાધુ કે સાધ્વી સામે દેખાતા વસ્ત્રોમાંથી સ્વયં યાચના કરે અથવા યાચના કર્યા વિના ગૃહસ્થ સ્વતઃ આપે, તો તે પ્રાસુક તેમજ એષણીય હોય તો તેને ગ્રહણ કરે. આ બીજી(પ્રેક્ષિત) પ્રતિમા છે. | ९ अहावरा तच्चा पडिमा- से भिक्खू वा भिक्खुणी वा से जं पुण वत्थं जाएज्जा, तं जहा- अंतरिज्जग वा उत्तरिज्जग वा, तहप्पगार वत्थं सय वा जाएज्जा जाव पडिगाहेज्जा । तच्चा पडिमा । ભાવાર્થ :- ત્રીજી પ્રતિમા સાધુ કે સાધ્વી ગૃહસ્થના વાપરેલાં-પહેરેલાં વસ્ત્રની યાચના કરે, જેમ કે- અન્તરીય(અધો) વસ્ત્ર કે ઉત્તરીય (ઉપરનું) વસ્ત્ર, આ પ્રકારના વસ્ત્રની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ સ્વતઃ આપે, તે પ્રાસુક તેમજ એષણીય હોય તો ગ્રહણ કરે. આ ત્રીજી(પરિભક્તપવા) પ્રતિમા છે. |१० अहावरा चउत्था पडिमा- से भिक्खू वा भिक्खुणी वा उज्झियधम्मियं वत्थं जाएज्जा- जं च अण्णे बहवे समण-माहण-अतिहि-किवण-वणीमगा णावकंखंति, तहप्पगारं उज्झियधम्मियं वत्थं सयं वा णं जाएज्जा परो वा से देज्जा, फासुयं जाव पडिगाहेज्जा । चउत्था पडिमा । इच्चेयाणं चउण्हं पडिमाणं जहा पिंडेसणाए । ભાવાર્થ :- ચોથી પ્રતિમા- સાધુ કે સાધ્વી ગૃહસ્થને નકામા હોય, તેવા ફેંકી દેવા યોગ્ય વસ્ત્રની યાચના કરે, જેમ કે- જે વસ્ત્રને ઘણા શ્રમણ-બ્રાહ્મણાદિ યાવત ભિખારીઓ લેવા ઇચ્છે નહિ તેવા ફેંકી દેવા યોગ્ય અર્થાતુ સર્વજનને અમનોજ્ઞ એવા વસ્ત્રની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ સ્વતઃ એવા વસ્ત્ર સાધુને આપે, તો તે વસ્ત્ર પ્રાસુક અને એષણીય હોય, તો સાધુ ગ્રહણ કરે. આ ચોથી (ઉક્ઝિતધમા) પ્રતિમા છે. આ ચાર પ્રતિમાઓમાંથી કોઈ પણ પ્રતિમાને ધારણ કરનારા શ્રમણો અન્ય પ્રતિમાઓ ધારણ કરનારા શ્રમણો પ્રતિ તુચ્છ ભાવ રાખે નહીં, ઉદાર ભાવ રાખે. આ સર્વ વર્ણન પિંડેષણા અધ્યયન અનુસાર જાણી લેવું જોઈએ. વિવેચન : | પિંડેષણા અધ્યયનની જેમ અહીં વઐષણા સંબંધી ચાર પ્રતિમાઓનું કથન છે, તેના નામ આ પ્રમાણે છે– (૧) ઉદ્દિષ્ટ (૨) પ્રેક્ષિત (૩) પરિભક્તપૂર્વા અને (૪) ઉજિઝતધર્મા. સાધુ જે પ્રકારની પ્રતિજ્ઞા કરે, તે પ્રતિજ્ઞા અનુસાર વસ્ત્ર મળે તો જ ગ્રહણ કરે, અન્યથા ગ્રહણ કરે નહિ, પરંતુ વસ્ત્રની ઊણોદરી કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy